________________
૨૭૭
પીધે, તથા તે હદયને ધન્ય છે જેણે સતતું આપના નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો. (૩૧) नित्याऽऽनन्दपदप्रयाणसरणी श्रेयोऽवनीसारणी, संसाराऽर्णवतारणैकतरणी विश्वद्धिविस्तारिणी । पुण्याङ्करभरपरोहधरणी व्यामोहसंहारिणी, पोत्यै कस्य न तेऽखिलाऽऽर्तिहरिणी मूर्तिमनोहारिणी॥३२॥
નિત્યાનંદ-મોક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણી, કલ્યાણરૂપી પૃથ્વીની નીક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય તરણી–હાડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તાર નારી, પુણ્યરૂપી અંકુરાના પ્રરોહ માટે ધરણી, વ્યાહને વિસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરાજની) મનહર મૂર્તિ કેની પ્રીતિને માટે ન થાય ? (૩૨) नेत्रे साम्यसुधारसैकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहतिलसत्संसर्गशुन्यौ करौं । अङ्कश्च प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकम्, तद्देवो भुवने त्वमेव भवसि श्रीवीतरागो ध्रुवम् ॥३३।।
હે જિનરાજ ! આપના બે નેત્રે સમતારૂપી સુધા રસ વડે અદ્વિતીય મનહર છે. આપનું મુખ નિરંતર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્ત્રસમૂહના સંસર્ગથી શૂન્ય છે તથા આપને અંક–ખોળે રાગથી મનહર એવી વધૂઓના સંબન્ધથી વિશેષ કરીને વધ્ય-રહિત છે, તે કારણે હે દેવ! આપ જ આ જગતમાં ખરેખર-નિશ્ચય વીતરાગ છે. (૨૯)