SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 100 વાળાને જેમ ધન ન મળતાં ચિંતા થાય, તેમ ઝુરણા થયા કરે અર્થાત્ તે નિમિત્તો શા કારણથી દૂર નથી થતા ? તે કારણ વિચારે, તેને માટે અંતરમાં પશ્ચાત્તાપ થયા કરે અને તેના વિચાર કર્યો કરે, તેમ કરવાથી જે મન સસારના પદાર્થો તરફ હતુ, તે ત્યાંથી નિવૃત્ત થઇ આ વિચારમાં એટલે મારે જે પ્રાપ્ત કરવુ છે તે કેમ થતું નથી ? તે પ્રાપ્ત કરવામાં હજુ મારી ઇચ્છાની ખામીછેકે ક્રાઇ નિમિત્તો અડચણ કરે છે અને કરે છે તો શું ? કેવી રીતે ? તે દૂર કેમ જાય? એ વિગેરેના વિચાર કરવાથી મન ઉદાસીન રહે છે. ઉદાસીન કહેવાના હેતુ એ છે કે જેવી રીતે ધનની ઇચ્છાવાળાઓને ધન ન મળવાથી ચિંતા થાય છે. તેને ચિંતા તથા શાંક કહે છે અને તે કમધનું નિમિત્ત છે, તેમ મેાક્ષના માર્ગ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તેમાં કાંઇ. અડચણ પડે. તેા. તેને પ ચિંતા થાય, પરંતુ તે ચિંતા સત્ય વસ્તુ ઉપર હાવાથી તેને ચિંતા ન કહેતાં વૈરાગ્ય કે ઉદાસીનતા કહે છે. આ પ્રકારની ચિંતા એટલે વિચાર કરવાથી મનની વૃત્તિઓ તેમાં જોાય છે, તેથી તે સમયે સંસારના પદાર્થોં પ્રત્યે રૂચિ મંદ રહે છે. અને સંસારના પદાર્થી વિનાશી તથા અસત્ય છે એમ ભાસે છે, અને કાઇ પ્રશ્ન કરે કે જ્યારે સંસારના પદાર્થોં અસત્ય ભાસે છે ત્યારે તેને છેડતા કેમ નથી ? અર્થાત્ તેના ત્યાગ કેમ કરતા નથી ? ’ તેના ઉત્તર આપે છે કે–સંસારના પદાર્થોની જે નૃત્તિ છે તે વૃત્તિના મૂળમાંથી ત્યાગ કરવા તે વિરતિભાવ કહેવાય અને તે ભાવ તા પાંચમા ગુણસ્થાનકથી થાય છે. માટે પ્રથમ તા જગતના પદાર્થોને અસત્ય છે એમ જાણી જ્યારે મન વિશેષ શુદ્ધ થાય ત્યારપછી તે પદાર્થના ત્યાગ કરે. જે નિમિત્તો ત્યાગવાના છે, તે નિમિત્તો ગુરૂ કુલાદિકના મેહ, લેાકલ ંજા, લેાકભય, લાસન', ગચ્છ મતાદિકના આગ્રહ, સ્વચ્છંદ, પ્રતિમધ, પાંચ મિથ્યાત્વ–ઇત્યાદિક સમકિત પામવામાં જે જે બાધા કરનારાં નિમિત્તો છે તે નિમિત્તોના ત્યાગ કરે; ત્યાગ કરવાના પ્રયત્ન કરતાં છતાં જે જે વિઘ્ન આવે તેને ઉદાસીન ભાવે વેદે તેવુ નામ વૈરાગ્ય. સમકિત પછીના વૈરાગ્યનું સ્વરૂપ. ૪૨-સમકિત થયા પછી વૃત્તિઆને અનુભવ કરી વા એળખી તેને ત્યાગ કરે. તે વૃત્તિઓ ત્રણ પ્રકારની છે, ૧ ભાગિક, ૨ ક્ષાયિક અને ૭ ઉપમિક, (૧) ભોગિક એટલે કેટલીક નૃત્તિઓ એવી છે કે જે વૃત્તિઓ ઉદયમાં આવ્યા પછી તેને ભેગવે ત્યારેજ ક્ષય થાય, તે ભાગવતાં વૃત્તિઓની ઓળ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy