________________
૧૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ કઠેર અને અન્યાયી શાહી હકમને સાંભળી દાર્શનિકો (સાધુઓ) આમ તેમ ભાગવા લાગ્યા. કઈ જંગલમાં, કઈ ગુફાઓમાં તે કેઈ અન્યાન્ય દેશમાં ચાલ્યા ગયા. કઈ તે ભયના માર્યા ભૂગર્ભમાંય છૂપી રહ્યા. આમ જેને જેમ ઠીક લાવ્યું તેમ નાશી છૂટયા કેટલાએકને તે પલાયમાન થતાં દેખી યવનેએ પકડી ગીરફતાર કરી એવી કાળી કોટડીમાં ધકેલી દીધા, કે જ્યાં અન્ન-જલ પણ આપવામાં નહોતા આવતા..૪ કિંતુ તપાગચ્છીય સાહિત્યમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે –
“એહવી પૃથ્વીપતિ જહાંગીર, દેશી વચને લાગે વીર | વેષધારી ઉપર કેપિચો, મુતકલનઈ દેસોટો દિયે ! મલેછ ન જાણઈ તે વિચાર, અમારી મોકલ અણગાર ૩૬. નાસડું પડિયું બહુ દેસિ, ભલા હુતા તેણે રાખ્યા વેષ !
(વિજય તિલકસૂરિ રાસ, એ. રા. સં. ભા. ૪ પૃ. ૩૩) આ ઘટનાની વધુ માહિતી ભાનુચન્દ્ર ચરિત્ર “જહાંગીરનામા ક્ષમાકલ્યાણજી કૃત પટ્ટાવલી આદિમાં પણ મળે છે.
વસ્તૃતઃ કોઈ એક વ્યક્તિના અનાચરણના કારણે સમસ્ત સાધુસંધને અનાચારી માની તમામને દેશનિકાલ કરવાનો હુકમજ અન્યાયી હતું. આ પ્રમાણે ચરિત્રનાયકે સમ્રાટને એની આ બહુ મોટી ગંભીર ભૂલનું ભાન કરાવ્યું અને આ ઘાતક હુકમ રદ કરાવી બહુ મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું એ કાળના અનેક પ્રમાણો પરથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે.*
* પાતિસાહિ સલેમ સોપ, કિયેઉ દર્શનિયાનું કે પા. એ કામણગારા કામી, દરબારથી દૂરિ હરામી ! ૧૭ | એકનકું પાગ બંધાવૌ, એકનકે ના આસ અણા | એકન કું દેવટેઉ જંગલ દીજઈ એકનકું ૫ખાલી કીજઈ ૧૮ . એ સાહિ હુકમ સાંભલિયા, તસુ ખફિ થકી ખલભલીયા જજમાન મિલી સંજતના, દરેહાલ કરે ગુરુ જતના છે ૧૯ |