SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ચેડા મહારાજા: [ ૪૧૭ ] તેડાવી પૂછતાં માલૂમ પડયું કે “ જ્યાંસુધી વિશાલાના ચાકમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપ મેાજીદ છે ત્યાં સુધી એ પ્રાચીન નગરીના નાશ થનાર નથી. તેમ ગમે તેટલું કરવા છતાં એ નગરીના કિલ્લાની એક કાંકરી પણ ખરનાર નથી. નિમિત્ત જોતાં જણાય છે કે આ સંગ્રામમાં ખળ કરતાં છળ કરવામાં આવે તા વિજય પ્રાપ્ત થાય, પણ એમાં કેાઇ ચારિત્રભ્રષ્ટ સાધુને સહકાર મળવા જોઇએ. વૈશાલીની પ્રજા ધર્મના આઠા નીચે છેતરાય, તે સિવાય એની સામે અન્ય પ્રલેાભના નકામાં છે અને ધર્મના પવિત્ર સ્વાંગમાં રહી દંભનુ નાટક ભજવનાર ચારિત્રસંપન્ન આત્મા છે તેા મળી શકે જ નહીં. એટલા સારુ મેં ચારિત્રભ્રષ્ટ આત્માની વાત જણાવી છે. હે અજાતશત્રુ ! તમારા ભાગ્યમાં વિજયના યાગ છે, છતાં એમાં ખૂદ વિશાલા નગરીના પ્રજાજનાનુ માનસ ફેરવાય તા જ એ સ ંભિવત અને. ” અજાતશત્રુ કુર્ણિકમાં જન્મથી જ અડગતા ને ઢ નિશ્ચય જડાયેલાં હતાં. ગમે તેવા કપરા સંચાગેાના સામના કરવામાં તે પાછી પાની કરે તેવા નહાતા. મગધના માલિકને એકાદ પતિત સાધુને શેાધવામાં શી મુશ્કેલી નડવાની હતી ? અરે! પતિત ન હાય તેા એને પતિત અનાવવાના દાવ કંઇ આ સ તંત્ર-સ્વતંત્ર રાજવીને શીખવા જવા પડે તેમ હતું જ નહી. પરમાત્મા શ્રી મહાવીરદેવના અનન્ય ઉપાસક તરીકેની સુકીર્તિ શ્રેણિક મહારાજના નામે ચઢી છે; પણ એ રાજવીના આ ગાદીધર વારસને ખૂદ મહાવીરદેવના વચનમાં પણ પૂર્ણ શ્રદ્ધા નહાતી. અલબત્ત તે પ્રભુના ભક્ત હતા, છતાં એનામાં રહેલ મળના ગર્વ અને રાજ્યલક્ષ્મીના લેાભ, ઘણી વાર એના હાથે ઉતાવળા ને ન ભરવા યેાગ્ય પગલાં ભરાવતા. વિશાળ મહારાજ્ય મળવા છતાં એની તૃષ્ણા તૃપ્ત થઇ નહેાતી. પાટનગર २७
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy