SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૪] પ્રભાવિક પુરુષો : મની ધારાનું જીવંત પ્રાબલ્ય હોય છે તો એની ફળ દેવાની શક્તિ વિષ્ણુના વેગને પણ વટાવી જાય છે. કહ્યું છે કે – आनंदाश्रूणि रोमांच:, बहुमानं प्रियं वचः । तथानुमोदना पात्रे, दानभूषणपंचकम् ॥ દાનને એ ભૂષણોથી અલંકૃત બનેલ આત્મા વચમાં કોઈને અવરોધ ન નડે તો મુક્તિપુરીના દ્વાર પણ ખખડાવે છે. પ્રભુ શ્રી વીરની સંશયતારિણી વાણી શ્રવણ કરતાં જ રાજવી શ્રેણિકની અજાયબીને અંત આવ્યો પણ નંદિષણની તો દષ્ટિ જ ખુલ્લી ગઈ. સમ્યકકરણમાં રહેલી તરતમતા ઊડીને આંખે વળગી. તાપસ અને શ્રમણના જીવન વચ્ચેનો સ્પષ્ટ ભેદ નજરે આવ્યું. આશ્રમના ઉમૂલનથી કુલપતિને કેમ દુ:ખ ઉપજ્યું અને હસ્તિ પ્રત્યે તેમના ગુસ્સાને પારે શાથી છેલ્લી ડિગ્રીએ પહોંચ્યા ? તેનું કારણ પણ સ્પષ્ટ જણાયું. મુછા પરિવાહો કુત્તો અર્થાત્ જ્યાં સુધી અંતરમાં રહેલ દ્રવ્ય-પદાર્થ યા વસ્તુ પ્રત્યેની મૂછ યાને મમતા સર્વથા નિર્મૂળ થતી નથી ત્યાંસુધી વ્યક્તિ ભલે વેત કિંવા ભગવો અંચળ ધારણ કરે, ભલે એ સંસારની જંજાળથી બહાર નીકળી અરણ્યવાસ કે ગિરિકંદરામાં જઈને વસે છતાં એ પરિગ્રહ યાને આળપંપાળથી મુક્ત થઈ શકતી નથી. સાથોસાથ એ પણ સમજાયું કે જે મૂચ્છ-મારાપણાની કામનાનો સર્વથા નાશ કરી દેવાયો છે તો ભલેને પછી વ્યક્તિ મણિજડિત કાંગરાવાળા ને સુવર્ણ-રત્નગુંફિત ગઢમાં બેસે છતાં પંકજવતુ એ નિર્લેપ રહી શકે છે. માયાનો પાશ ત્યાં લાગતો જ નથી. સમભાવની ભૂમિકા પર વિચરતા એ આત્માને કંચનમણિના નથી પ્રલોભન હતા કે કથીર પાષાણના તિરસ્કાર સંભવતા. એની દષ્ટિ તો કઈ અનોખા ધ્યેય પાછળ એકતાર બની હોય છે. એનું નામ સાચી મુમુક્ષુદશા છે.
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy