________________
મેધ કુમાર : *
[ ૨૬૯ ] ભૂમિકામાં તારી પૂર્વે પાદસંચાર કર્યો છે એવા પવિત્ર સંતની જ ને? સંભાર, સંભાર, તારા પૂર્વ જીવનને.” | સર્વજ્ઞની વાણીને એક શબ્દ જીવનપરિવર્તન કરવા સમર્થ છે ત્યાં આ તો પૂર્વભવનું આખું વર્ણન. મેઘકુમારના મનમાં મંથન આરંભાયું અને જોત-જોતામાં જાતિસ્મરણજ્ઞાન થયું. પ્રભુ શ્રી મહાવીરે જે કહી સંભળાવ્યું એ એણે પ્રત્યક્ષ દીઠું.
બસ, વિચારમાળાના મણકા ફરી ગયા. રમણીય આવાસ, કમનીય યુવતીઓ અને સુંદર શય્યા કાયમને માટે અદશ્ય થઈ ગયા. કારમાં સગપણમાં પાછા ફરવાની વૃત્તિ પૂર્વજીવનની સ્મૃતિથી પલાયન કરી ગઈ. ભગવાને કહ્યું તેવું જ વિષયનું સ્વરૂપ અંતરમાં સચેટ જડાઈ ગયું. ઘેર પાછા ફરવામાં ચેખી કાયરતા દષ્ટિગોચર થઈ. અરે ! વમન કરેલ પદાર્થ પુન: આરોગવા જેવી વિલક્ષણ ને ધૃણાજનક વાત લાગી. કેઈ પણ હિસાબે ધારણ કરેલ નબળાઈને ત્યજી દઈ પુન: વધુ વીરતાથી સંયમપંથ ઉજાળવાનો નિરધાર કર્યો.
અશુભ ચિંતવન માટે આયણ લઈ, પ્રભુસાક્ષીએ ઘર પ્રતિજ્ઞા લીધી કે- બે ચક્ષુએ છોડી સારીએ દેહલતા મુનિવૈયાવચ્ચના કાર્યમાં અર્પણ કરું છું અર્થાત્ ચારિત્રપાલનમાં અતિ આવશ્યક નેત્રયુગલની રક્ષાપૂર્વક, ગમે તેટલું કષ્ટ પડે તો પણ સેવાના પ્રત્યેક ક્ષેત્રમાં યાહામ કરીને હું ઝુકાવીશ.”
આમ મેઘમુનિએ પુનઃ જીવનમાં અનેરો પલટો આયે. પતિનના કિનારેથી–ખલનની બારિક ક્ષણમાંથી શ્રીવીરવચને જીવનજહાજને નિર્ધારિત રાહે વાળ્યું. મેઘકુમારે આત્મકલ્યાણ સાધ્યું અને પૃથ્વીતળ પર વિચરી ધર્મપ્રભાવના વિસ્તારી. પ્રાંતે અનશનવડે કાળધર્મ પામી વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર લઈને મોક્ષે જશે.
momsmoa