________________
મંત્રીશ્વર અભયકુમાર : *
[૨૫૫] કઈ દિવસ જામી નહતી. શ્રીપાળનુપકથામાં મયણાસુંદરીને થયેલ અમૃતકિયાના વેગનું જે વર્ણન પૂજા પ્રસંગમાં આવે છે એવું જ આજ મારે માટે પણ બન્યું હતું. મન પોકારીને કહેતું હતું કેઅભય ! આજ તારા માટે સોનાનો સૂરજ ઊગ્યો. આજે તારા પાસા પોબાર સમજવા. અંતરમાં પણ એ જ લગની હતી કે જલ્દી શ્રી વિરપ્રભુ સમીપ પહોંચું અને સંશય નિવારી ઘટિકા ધન્ય કરું. પણ ત્યાં તો આ લખેટે આવ્યો. મનની મનમાં રહી. રાજ્યાભિષેકના મુહૂર્તે શ્રીરામને વનવાસ સિધાવવું પડ્યું તેમ મારે પણ એ જ ટાણે ભૂપઆજ્ઞાને અમલ કરવા થોભવાનું. અહા ! અધિકાર ! મુખ્યમંત્રીપણું! આખરે તો પરતંત્રદશા જ ને?
જંગલમાં એકાદ સૂકા વૃક્ષ પર વસતા પંખીના સુખ સાથે શ્રીમંતને ઘરે સુવર્ણપિંજરમાં પૂરાયેલ અને અહર્નિશ સુંદર ફળ આરોગનાર પંખીને સુખની તુલના જ અસ્થાને છે. યથાર્થ રીતે જોતાં પિંજરના પક્ષીનું ગમે તેવું સુખ પણ એની કેદી જેવી દશા જોતાં કેડીના મૂલ્યનું થઈ જાય છે. જ્યારે વૃક્ષવાસી પંખી ધારે ત્યાં ઊડી શકે, ઈ છે ત્યાં જઈ શકે, એ સ્વતંત્રતા આગળ ભલે સુંદર ખોરાક ન હોય કે અલબેલું પીંજર ન હોય, એથી કંઈ જ દુઃખ નથી. કોઈની પણ પરવા કે તાબેદારીવિઠ્ઠાણું જીવન એ જ મોટામાં મોટું સુખ છે, એ જ સાચું જીવન છે.
કેવા અપૂર્વ ઉલ્લાસથી આજ મારા કદમ સમવસરણની ભૂમિ તરફ પડત. ત્યાં તો હૂકમ છૂટ્યો. “અંતેઉર સળગાવી ઘો” જરા પ્રશ્ન કરે, કારણ જાણવા પ્રયાસ સેવે ત્યાં તો મહારાજા શ્રેણિક ગુસ્સાના આવેશમાં પસાર થઈ ગયા.
સળગાવવાની આજ્ઞા જેટલી સહેલી છે તેટલું સળગાવવું સહેલું નથી જ. એમાં લીલા સાથે સૂકું બળવાને જેમ સંભવ, તેમ બળી ગયા પછી પશ્ચાત્તાપ થવાને પણ સંભવ.