SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૨ ] પ્રભાવિક પુરુષા : અલ્પકાળમાં કળાકેલિ અને વારાંગનાસુલભ કુશળતાથી કુમારની મુગ્ધતાને પાણીચું દઇ એનામાં ગૃહસ્થજીવનની રસ વ્હાણુ પાથરી દીધી હતી. શુષ્કતા અને ઉદાસીનતાને સ્થાને રસવૃત્તિ ને પ્રમાદ પ્રગટાવ્યા હતા. તે જ આદરમાનનું કારણ હતું. આજે કુમારની નજરમાં-‘ સારું સારાજોચના 'પદ્મ જોરશેારથી ઉછળતું હતું. રાજવીએ ‘શ્રી મં દુષ્કુનિ' એ સૂત્રનું અવલંબન ગ્રહી, વાજતેગાજતે એ દંપતીને રાજમહાલયમાં પ્રવેશ કરાવ્યા. વલ્કલચીરીને યુવરાજપદે સ્થાપ્યા. આનંદ મંગલસૂચક વાજીંત્રા વાગી રહ્યા. આ તે જ પ્રસન્નચંદ્ર કેજે, મગધના કુમાર શ્રેણિકની સાથે ચાદ સ્વ×સૂચિત જેમના જન્મ થયા છે એવા ત્રિશલાસુત વ - માનસ્વામી જ્યારે યુવાનવયમાં પ્રવેશ્યા ત્યારે મિત્રતાની ગાંઠ આંધવા આવેલા હતા. વધુ માનકુમાર ચક્રવર્તી થાય તેા બાળપણની મિત્રતા કામ લાગે એ આશય તે સમયે અંતરમાં રમતા હતા, પણ જયાં વધુ માનકુમાર આગાર છેડી અનગાર બન્યા કે આ જોડી ત્યાંથી સ્વસ્થાને ચાલી ગઇ. મિત્રતાના મીઠા પ્રસંગેામાં પણ આ યુગલ ત્યાગજીવનની સારભથી અલિપ્ત રહ્યું હતું. ઉભયમાં કામિનીએના કાતીલ કટાક્ષ અને શૃંગારી હાવભાવ પ્રત્યે ગાઢ માહ ઉપજ્ગ્યા હતા, તેથી જ તેમના અંત:પુરમાં રૂપની રાશિ સમી-મદનપ્રિય રતિને પણ કામક્રીડામાં પરાભવ પમાડે તેવી સંખ્યામ ધ રમણીઓ હતી. તેમના જીવનમાં ધર્મ કરતાં વૈભવ, વિલાસ, રાજ્ય અને ક્રીડાની મસ્તી અગ્ર ભાગ ભજવતી હતી. આટલી પ્રસ્તાવના પ્રસન્નચંદ્ર નરેશના વર્તમાન જીવનના મૂલ્યાંકન માટે પર્યાપ્ત છે. વલ્કલચીરી તરફના બપ્રેમ માત્ર ત્યાગ મૂકાવી, રાગમાં રેલાવી ન સમાવતા એને પણુ સંખ્યાબંધ રાજપુત્રીએ સહ પાણિગ્રહણ કરાવી, નામ માત્ર વલ્કલચીરી રાખી, ખરેખરા વ્રજવિહારી બનાવી દેવામાં સાર્થક્ય કર્યું. X × X
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy