SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪] પ્રભાવિક પુરુષ : હૃદય મરવું કે મારવું એવા ચિંતનમાં પડેલું હોય છે અને જ્યાં રક્તપાતથી ઉદવેગ આવવાને બદલે રાચવાપણું પ્રવર્તે છે ત્યાં તમારા સરખી દયાની દેવી અણધાર્યા પગ મૂકે એ આશ્ચર્ય પૂર્ણ તે છે જ; પણ મારા અનુભવમાં તે આ પહેલા જ પ્રસંગ છે.” રાજન ! વાત સાચી છે. સંસારના સંબંધને ઠાકરે મારી, કેવલ આત્મકલ્યાણ અર્થે નીકળી પડનારા અને માત્ર પરમાર્થના કાર્યોમાં સ્વવાણીને ઉપગ કરનારા નિર્ચને માટે આ સ્થાનમાં પગ મૂક સંભવતો નથી પરંતુ કેઈ એવા કારણે ઉપસ્થિત થાય છે કે જેથી તેઓના હદય આ તરફ સહજ ખેંચાય છે.” મારા ભાગ્યે આપ સરખા શાંતિના ફિરસ્તાના દર્શન થયા. આપ સૂચના કરે કે આસેવકદ્વારા ક્યા કાર્યની આપને અપેક્ષા છે?” “કરકંડૂમારી એક જ સૂચના છે કે તું આ જાતના યુદ્ધથી વિરામ પામ. એમાં અધર્મ છે, જીવને સંહાર છે અને એ ઉપરાંત વિનયધર્મનું ઉલ્લંઘન પણ છે, જે તારા સરખા સુ-સંતાનને કદાપિ શોભતું નથી.” સાધ્વીમાતા ! આપ બીજું જે કંઈ કહે તે કરવા હું તૈયાર છું પણ રાજધર્મના પાલન અર્થે જે વસ્તુ આવશ્યક છે તે વાત ત્યજી દેવા હું તૈયાર નથી. આપ એમાં અધર્મ દર્શાવે છો એ આપની દષ્ટિએ ભલે વ્યાજબી હોય, પણ જ્યાં એથી પણ અતિ ઘણે અધર્મ વતી રહ્યો છે એવી આ ધરતી પર મેં મારા બાહના સામર્થ્યવડે સત્ય અને નીતિ પાથરવાનો નિરધાર કર્યો છે. આ સંગ્રામ ખેલવાની મારી ઈચ્છા નહોતી પણ એ માર્ગે ચંપાપતિએ મને ફરજીયાત દેર્યો છે.” પવિત્ર માતા ! આપને એ સંબંધની ખબર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાન
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy