SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તે અંગે અમારે અનુભવ ભાડું લઈને અમને રસીદ આપી દીધી. પછી તે અંગે પ્રચાર શરૂ થયો, આ વસ્તુ પિોલીસખાતાના ધ્યાનમાં આવી અને તેથી મે સીનેમાના મેનેજરને બેલાવીને ધમકાવવામાં આવ્યું કે તમે શું જોઈને આ જાહેર કાર્યક્રમ માટે સીનેમા ભાડે આપ્યું છે? તમને જે વર્ગનું લાઈસન્સ છે, તે જોતાં તમે આ સીનેમા જાહેર કાર્યક્રમ માટે ભાડે આપી શક્તા નથી. આથી મેનેજર ગભરાયે. તેણે આસી. પિોલીસ કમીશ્નર આગળ ભૂલ કબૂલ કરી અને પિતાને બચાવી લેવા જણાવ્યું. આ ઘટના અમે આસી. પિોલીસ કમીશ્નર પાસે ગયા, તેના બે દિવસ અગાઉ જ બનેલી હતી. ' હવે પોલીસખાતામાં એ કેઈ નિયમ હશે કે જેમને કઈ પણ કારણસર લાઈસન્સ ન આપવાનું હોય તેને અરજી કર્યાના અમુક દિવસની અંદર ખબર આપી દેવી જોઈએ. પરંતુ પોલીસખાતાએ તેમ કર્યું ન હતું. જ્યારે દૈવી સંકેતના આધારે અમે સાહેબને જરા જોરથી કહ્યું કે સાહેબ ! આમાં તમારી ભૂલ થાય છે, ” ત્યારે તેના મગજમાં આ વાત આવી ગઈ અને તેણે અમને લાઈસન્સ કાઢી આપ્યું. - અહીં વિચારવાનું એ છે કે ઉવસગ્ગહરે તેત્રની ગણના બાદ ઉપર્યુક્ત શબ્દો કેણે કહ્યા ? અમે ગમે તેવી બુદ્ધિ લડાવીએ તે પણ આ પ્રકારના શબ્દો તે અમને સૂઝે તેમ ન હતા. વળી તે શબ્દોએ બગડી ગયેલી પરિસ્થિતિને તરત જ સુધારી દીધી અને અમને મોટા નુકસાન તથા બદનામીમાંથી બચાવી લીધા. આને આપણે ચમત્કાર નહિ તે બીજું શું કહી શકીએ?
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy