SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ઉવસગ્ગહર સ્તોત્ર લેાકેાના સહકાર મેળવી ઉજ્જિયની પર ચડાઈ કરાવી તથા પોતે ધનુષ્યબાણ લઈને મેખરે રહ્યા તથા સામા પક્ષ તરફથી ગ`ભી આદિ જે વિદ્યાએ અજમાવવામાં આવી તેને પેાતાની વિદ્યાથી નિષ્ફળ બનાવી અને આખરે ગભિલ રાજાને મૃત્યુદંડ દીધા, ત્યારે જ જપ્યાં. પછીથી તેમણે પ્રાયશ્ચિત્ત લઇને પેાતાની શુદ્ધિ કરી અને જિનશાસનના ભાર ફરી સંભાળ્યે આ રીતે કોઇ સાધુ-મહાત્માને ધર્માંના રક્ષણ માટે કે સાધ્વી સ્ત્રીઓના શિયળની રક્ષા માટે મંત્રશક્તિના ઉપયાગ કરી મૃત્યુદંડ દેવા પડે તે તેને એ શક્તિનો સદુપયોગ જ કહીશું, કારણ કે તેના પરિણામે ધર્મ કે સતીત્વનું રક્ષણ થાય છે અને તેની પરંપરા ચાલુ રહે છે. ક્ષુદ્ર સ્વાર્થી માટે કોઈ પણ વ્યક્તિ ઉપર મારણકમ ના પ્રયાગ કરવા, એ બિલકુલ ઈચ્છવા ચેાગ્ય નથી. આવેા પ્રયાગ કરનારને પાછળથી પસ્તાવાના વખત આવે છે અને · શેરના માથે સવા શેર ' એ ન્યાયે કોઈ અન્ય મંત્રવાદી તેને પણ આ જ રીતે અંત આણે છે. આજે અણુશક્તિ મહાન ગણાય છે, પણ તેને ઉપચાગ સંહારના શસ્રો બનાવવા માટે થાય છે, એટલે કે તેના દુરુપયોગ થઈ રહ્યો છે અને તેથી આખુ યે જગત્ ભયગ્રસ્ત અન્યું છે. જો આ જ શક્તિના ઉપયાગ સજ્જૈનમાં થાય તે લેકને આશીર્વાદ રૂપ નીવડે. મંત્રશક્તિનું પણ આમ જ સમજવાનુ' છે, તેના ઉપયોગ સ્ત્ર-પર-કલ્યાણ અર્થે કરીએ તે જ ઈષ્ટ છે. તેના ઉપયોગ અન્યને રજાડવા માટે કે અન્યને નુકશાન પહોંચાડવા માટે હરગીઝ કરવા નહિ.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy