________________
૪૬
ઉવસગ્ગહર સ્તોત્ર
વિવિધ પ્રકારની લબ્ધિઓ તથા સિદ્ધિ મેળવવા માટે પ્રયત્નશીલ હતા, એ વસ્તુ તેમનું ચરિત્ર વાંચતાં સમજી શકાય છે.
પછીના સમયમાં પણ મત્રા અને વિદ્યાએની ઉપાસના ચાલુ જ રહી હતી અને જેએ તેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી તેને ધર્મના રક્ષણ કે પ્રચાર અર્થે ઉપયોગ કરતા તેમને શાસનપ્રભાવક તરીકે ઓળખવામાં આવતા. આઠ પ્રકારના પ્રભાવકામાં વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધના નિર્દેશ સ્પષ્ટાક્ષરે જોઈ શકાય છે.
જેમ કે
पावणी धमकी, बाई नेमित्तिओ तवस्सी अ । विज्जा सिद्धो य कवि, अह पभावगा भणिआ ॥
(૧) પ્રાવચનિક સુંદર પ્રવચન કરનાર. (૨) ધ કથી—ધર્મ નુ અદ્ભુત રીતે નિરૂપણ કરનાર. (૩) વાદી—અન્ય દનીએ સાથે વાદ કરવામાં સમ (૪) નૈમિત્તિક-અષ્ટાંગ નિમિત્તને યથાથ પણે જાણનાર. (૫) તપસ્વી-મહાન તપશ્ચર્યા કરનાર. (૬) વિદ્યાસિદ્દ–રોહિણી, પ્રાપ્તિ આદિ વિદ્યાને
સાધનાર.વ
- શાકત સંપ્રદાયમાં દશ મહાવિદ્યાઓની ભારે પ્રતિષ્ઠા છે અને તેની ઉપાસના સારા પ્રમાણમાં થાય છે. તે જ રીતે જૈન ધર્મમાં (૧) રાહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વ‰શ્રુંખલા, (૪) વજ્ર’કુશી, (૫) અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯)