SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં સ્તોત્ર મંગલ તેને કહેવાય છે કે જે સર્વ પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે છે. અથવા જેના વડે દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે— मंगिज्जए ऽधिगम्मइ जेण हिअं तेण मंगल होई | अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते | · જેના વડે હિત સધાય તેને મગલ કહેવાય છે. અથવા જે મગ એટલે ધર્મને લાવે—પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે. ’ આના અર્થ એમ સમજવાના કે ઈષ્ટદેવને શુદ્ધ ભાવે નમસ્કાર કરવાથી દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય છે, એટલે વિઘ્ન નડતાં નથી, આપત્તિ સતાવતી નથી તથા મુશ્કેલીઓ કે મુઝવણાગતન્ય માર્ગ ના અવરોધ કરતી નથી. અથવા તેનાથી હિત સધાય છે, એટલે જે જે વસ્તુ આ ભવ અને પરભવ માટે લાભકારી હોય તે આવી મળે છે અને પ્રશસ્ત યશપ્રીતિના વિસ્તાર થાય છે. અથવા ધને પ્રાપ્ત કરાવે છે, એટલે ધબુદ્ધિ-ધ ભાવના ઉત્પન્ન કરે છે અને તેનું પરિણામ દરેક રીતે સારું જ આવે છે. હ્યુ છે કે— धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः । २. मङ्गति हितार्थं सर्पतीति मंगलम् । 3. मङ्गति दुरदृष्टमनेनास्माद् वेति मङ्गलम् ।
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy