________________
ગંગા હિમાલયમાંથી સમુદ્રમાં જાય છે? કે સમુદ્રમાંથી હિમાલયમાં? એમ દેવ-ગુરુ-ધર્મ તરફથી આપણા પર ઉપકાર આવે ? કે ઉપકાર આપણા તરફથી દેવ-ગુરુધર્મની ઉપર જાય?
ધર્મનું કશું ન કરવું, દેવ-ગુરુ-ધર્મની કશી સેવા ન કરવી, એ જેમ એક કૃતજ્ઞતા ભૂલવાનું ગણાય, એમ એમની સેવા કરવા છતાં કૃતજ્ઞતા અદા કર્યાનું ન માનતાં એમના પર ઉપકાર કર્યાનું માનવામાં પણ કૃતજ્ઞતાને ભૂલ્યા ગણાય. કૃતજ્ઞતા ભૂલે એ નઘરોળ, કૂતરાની જાતથી ગ ગણાય.
- રાજા પ્રિયદર્શન પિતાની પુત્રીનું સર્પઝેર ઊતારી એને સચેતન કરનાર રાજા હરિફેણને બહુ ઉપકાર માને છે, અને બદલામાં કૃતજ્ઞતા બજાવવા હરિષણને કહે છે કે “આ મારી પુત્રીને સ્વીકારી લે, આપની સેવાકારિણી પત્ની બનાવી લે; તે એ બિચારી પોતાના પર વસેલા આ નવા માનવ-અવતાર રૂપી અનુપમ ઉપકારને યત્કિંચિત બદલે વાળી શકે.” પ્રિયદર્શને ખૂબ આગ્રહ કર્યો એટલે આમ તે હરિષણને સેવાને કશે બદલે જોઈ ન હતું, છતા બહુ આગ્રહવશ સ્વીકાર કરે પડે, ને ત્યાં રાજકુમારી પ્રીતિમતી સાથે એનાં લગ્ન થયાં. એને લઈને પિતાની નગરીમાં આવી ગયે.