________________
૭
જાતના કર્મમાં એકની ફળ-પ્રદાન–શક્તિ કુતિ થઈ જાય, અને બીજાની શક્તિ અબાધિત કામ કરે. અહીં એક પ્રશ્ન થાય,–
કમ માનવાની જરૂર જ શી ? :
પ્રવર્તે તે પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જ ફળ આપનાર તરીકે માને ને ? વચમાં મફતિયાં કર્મ માનવાનું શું કામ છે ?
ઉ૦- ના, આમાથી તદ્દન નિરાળા બાહ્ય દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવ આમા પર અસર ન કરી શકે. એ તો આત્મા સાથે એકમેક ચૅટેલાં કર્મ પર જ તેવી તેવી અસર બતાવી શકે. નહિતર દા. ત. જુઓ કે શહેરમાં પ્લેગની હવા ચાલુ થઈ ગઈ તો શહેરના બધા જ માણસોને એ હવા દ્રવ્ય લાગુ થયું છતાં એથી બધા જ માણસ માંદા પડે છે, આવું કેમ બને છે? કહે, જેને એવા પ્રબળ અશાતા વેદનીય કર્મ હતાં એના પર આ હવા દ્રવ્ય અસર કરી એણે શાતા વેદનીય કર્મના ફળની શક્તિ કુંઠિત કરી, એથી શાતાફળ શેકાયું, અને પેલા અશાતા કર્મ ફળ બતાવવામાં જોર મારી ગયા. જેના શતાવેદનીય કમ જોરદાર હતાં, એના પર આ હવાએ અસર ન કરી, તેથી એની શાતા ચાલુ રહી, ને અશાતા–બિમારી ન આવી. સમાન નિમિત્ત છતાં જુદા ફળની પાછળ કારણ તરીકે જુદાં કર્મ માનવા જ પડે.
આમ, આમા પર અસર એના પર સંલગ્ન કમ જ બતાવી શકે.
બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ કર્મ પર અસર કરે યા ન પણ કરે. કર્મની જેવી જેવી દુર્બળતા યા સબળતા,