________________
વાતે સુખ લાગતું છતાં એવા કેક એકાદ ઉપદ્રવે જાણે બધું સુખ નષ્ટ થઈ દુઃખની એ પિક મૂકતે હોય? જે સંસાર આ ખેલ કરે છે એ સંસાર સારભૂત? કે તદ્દન અસાર? સંસારમાં ભરપૂર સુખ-સાધન મોજુદ છતાં જો એકાદ એવા કેઈ અનિષ્ટ પ્રસંગથી જીવને સુખને અનુભવ તદ્દન ડુલ થઈ જતો હોય, તે તો માનેલા સુખનાં સાધન ખરેખર તો બેકાર, નાકામિયાબ અને પિકળ જ નીવડ્યા ગણાય ને? પેલા રાજાને રાજ્યપાટ-રાણીઓ–ખજાના અને રાજશાહી સુખસાધનો તો ઊભા જ છે, છતાં એક પુત્રી આ રીતે મરવા પડી છે, એમાં એવું ભારે દુ:ખ શા માટે લાગે છે કે જેથી જાણે પિતાને સુખ કશું જ નથી ?
આવા અવસરે એને કઈ પૂછે કે “કેમ મહારાજા સાહેબ ! મહારાણી સાહેબ ! રાજ્યપાટ વગેરેથી સુખી છે ને ??? તે રાજા–રાણે શું કહે ? આ જ ને કે “શું કપાળ સુખી ? આવી વિનયી સુશીલ અને પ્રાણથી અમને અધિક મારી દીકરી મરવા પડી છે, તે એના આવા દુઃખે અમે દુઃખી મુઆ હોઈએ ત્યાં આ રાજ્યપાટ વગેરેમાં શા સુખ? બળ્યા એ રાજય ને પાટ. ખાવા ધાય છે એ” આવું જ કહે ને? એટલે જ જરા ઠરીને વિચારવા જેવું છે કે સંસારના વૈભવ વિલાસ અને પરિવાર વગેરેનાં સુખ જો માત્ર એક દુઃખની બાબતથી રદ બાતલ થતાં હોય, તે એ સુખ અને સાધન સારભૂત ગણાય ? કે અસાર તુચ્છ ? કહો,
સંસારના એક દુ:ખે બધા મેજુદ પણ સુખ ડૂલ થયા લાગે છે માટે સંસાર અસાર છે,