________________
છે, “ભગવદ્ ! અહીં આપની છાયામાં એ નિર્મળ આનંદ આવે છે કે અહીંથી જવાનું મન ન થાય. પરંતુ રાજ્યના કારભાર સંભાળવા રહે છે, તેથી હવે હું જવાની રજા માગું છું.'
વિશ્વભૂતિ કુલપતિ પણ સમજે છે કે કારભાર સંભાળ્યા વિના વ્યવસ્થા બરાબર ચાલે નહિ, તેમજ સંસારી જીવે એટલે પિતાની રુચિથી સત્સંગ કરે એટલી વાહવાહ, બાકી એમના પર કાંઈ સત્સંગને બલાત્કાર થાય નહિ, એટલે એ રાજાને કહે છે, “જુઓ અહીં તમે સત્સમાગમને અને તત્ત્વશ્રવણને સારે લાભ લીધે, તે હવે એને બરાબર દિલમાં રાખજે, રાજ્યના કામકાજમાં એને ભૂલી જતા નહિ.” એમ કહી કુલપતિએ રાજાને વિષાપહાર-મંત્ર, ઝેર ઉતારવાનો મંત્ર આપે.
૧૧. પ્રીતિમતીનું ઝેર-નિવારણ રાજાને નિવૃત્તિજીવનના આનંદે સંસારપ્રવૃત્તિને રસ ઉરાડ –
રાજા હરિષણ કુલપતિને પૂછી સેના સાથે પોતાની નગરીમાં પાછો આવ્યે રાજ્ય-કારભારમાં પડે છે, પરંતુ એના દિલમાં તાપસના આશ્રમમાંના એક માસના વસવાટે નાખેલા સંસ્કાર દષ્ટિ બદલી નાખી છે, તેથી રાજ્યસત્તા-સંપત્તિ વગેરેમાં એને હવે પૂર્વના જે આનંદ નથી. એના મનને અવરનવર યાદ આવતાં એમ થાય છે કે અહ? ક્યાં એ તપોવનના નિવૃત્ત