________________
૬૦
છે. તાપસાએ એને આવકાર્યો અને પેાતાના વિશ્વભૂતિ નામના કુલપતિ પાસે એને લઈ ગયા.
કુલપતિને રાજાએ પ્રણામ કર્યાં, અને પાસે બેઠો. ઋષિ એના લક્ષણાદિ પરથી કલ્પે છે કે આ કાઇક રાજા હાવા જોઈએ. એ પહેલાં તે આશીર્વાદ દે છે, કે
• હે રાજન! જે ઋષભદેવ પ્રભુના મસ્તકેથી એ કાન પાસે લટકતી ભ્રમર જેવી કેશની લટ કુંભ પર ચડાવેલ કમળમાળાની શોભાને ધારણ કરે છે એવા એ ત્રણ જગતને માટે પૂર્ણાંકુ ભ જેવા ભગવાન તમારા મંગળે!ની પુષ્ટિ કરો.’
એમ આશીષ આપીને વિશ્વભૂતિ ઋષિ રાજાને પૂછે છે,-‘તમારે અહી” કચાંથી આવવાનું થયું ? એકલા કેમ ?'
રાજા જવાબમાં કહે છે, ‘ભગવન્ ! સંસારમાં જીવ એક સ્થાનેથી બીજે સ્થાને કેવા ધારણા બહાર ભ્રષ્ટ થઇ જાય છે એ આજે અનુભવવા મળ્યું. મિત્રાવતી નગરોના હું રાજા હરિષેણ ઘોડેસ્વારીએ નીકળેલ, તે શી ખબર ઘાડો અશિક્ષિત હશે, તે એણે રસ્તે દોડયે જ રાખ્યુ’, કેમે ય એ ઊભા જ ન રહે, અંતે અહીં નજીકમાં ઝાડની ડાળીને હું વળગી પડ્યો. આપનાં દર્શન મળવાનું સૌભાગ્ય હશે ત ઝડેથી ઊતરી અહીં આવ્યા. આ આશ્રમ કેાના સ્થાપેલ છે ?
કુલપતિ રાજાને કહે છે. ‘ ભગવાન ઋષભદેવ સ્વામી
નામના
ના વખતમાં પ્રભુના ભક્ત કચ્છ અને મહાકચ્છ બે મોટા તાપસે થઈ ગયા, એમને સ્થાપેલે આ આશ્રમ ચાલ્યા આવે છે. અહીં સંસારથી થાકેલા અને મનુષ્ય જીવનનાં