SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર કરીને આવેલા; એટલે એના સુસંસ્કારોના બળે અહી છ ખંડના સામ્રાજ્ય વખતે ય સમ્યગ્દર્શન અને સમાધિ સુ ંદર અનુભવી શકતા. વિચારજો દિન-પ્રતિદિન એને વેગ કેવા વધતા રાખ્યા હશે કે એ અંતે આરિસાભવનમાં એ ઠે વીતરાગના અને કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા. શ્રેણિક અને કૃષ્ણ મહારાજા અત્યારે નરકમાં છે, નરકમાં કેટલા કારમા દુઃખા ? પણ શાસ્ત્ર કહે છે કે નરકમાં સકિતી આત્માએ કારમા દુ:ખોની વચ્ચે ય બીજા મથ્યાદૃષ્ટિ જીવોની માફક બીજાને મારું કાપી નાખું, એવી દુષ્ટ બુદ્ધિ ધરતા નથી ! ત્યાં પણ પોતાનાં પાપકર્માંના ઉદય વિચારી ચિત્તને ઘાર દ્વેષની અસમાધિથી બચાવી લે છે. ખીજાના ઘા એ સહી લે, પણ ખીજાએનાં કાપણ–કુટણ કરવાની એને દુષ્ટતા નહિ. ઘેર દુઃખમાં ચિત્તની આ સમાધિ સામાન્ય નથી. તત્ત્વની સમજના પ્રભાવે ત્યાં પોતાના અશુભ કર્મના અને એ ઊભા કરનારા પૂર્વ દુષ્કૃત્યાના ખ્યાલ કરે છે, પશ્ચાત્તાપ કરે છે. નરકનાં કારમા દુઃખને દુ:ખ માનવા કરતાં પેાતાનાં પૂર્વદુષ્કૃત્યોનું ભારે દુઃખ ધરે છે. ચિત્તમાં મારું દુ:ખનું દુઃખ લાગવા કરતાં એ બાહ્ય દુઃખની પાછળના પાતાના દુષ્કૃત્યાનું દુ:ખ લાગે એ મહાન સમાધિ છે, ચિત્તસ્વસ્થતા છે. ચિત્તાગૃતિ છે. જાગતું ચિત્ત છે. શ્રેણિક અને કૃષ્ણ મહારાજાને અહીં સમ્યગ્દર્શનના સારા અભ્યાસ હતા; એના સસ્કારી લઈને નરકમાં સમાધિ સુલભ કરે છે; જેથી બહારના નિઃસીમ રૌરવ દુ:ખમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy