SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વૈભવમાં ઊછરેલે છતાં વિવેકસંપન્ન છે. માનવભવનાં મૂલ્યાંકન કરનારે છે, એટલે જિનમંદિરમાં પૂજાસ્તવનમાં લીન બનેલા એને ત્યાં આવેલા રાષિની સાથેની પેલી અપ્સરા જેવી કન્યા પર દૃષ્ટિ નથી. ચિત્તને પ્રભુમાં કેવું લયલીન બનાવ્યું હશે ? ચિત્ત પ્રભુમાં કેવું ઠરી બેઠું હશે ? ચિત્ત પ્રભુમાં કરતું ન હોય ત્યારે જ એને બહારમાં ઠારવા માટે ડાફોળિયાં મારવાનું મન થાય. બહારનું જોતાં જોતાં અનંતા સારા કાળ પડી ગયા, અને આ ભવમાં ય વર્ષો પડી ગયા, છતાં જે તૃપ્તિ થઈ નથી, તે શું હવે એ બહારનું જોઈને તૃપ્તિ થઈ જશે? જે બહારનું જોવાનું ચિત્તને ભુખારવું જ રાખે એમાં ચિત્ત કરવાનું શું ? ચિત્તને ઠરવા દેવું તે ત્યાં, કે જ્યાં પછી એ ભૂખારવું ન રહે, એમાં ઉકળાટ–ખણજે–અધીરાઈ ઉઠવાની ન રહે. માટે જ પરમાત્મા, શાસ્ત્રો, તીર્થો, સદ્ગુરુ અને ધર્મક્રિયાઓ વગેરે એવાં આલંબન છે કે એમાં ચિત્તને ઠરતું કરી દેવામાં આવે, તે બહારની કઈ ખણ–ઉકળાટ અધીરાઈ ઊભી ન થાય. બહાર માટે તૃપ્તિ થઈ જાય. મન કહે “બહારમાં જોવાનું છે જ શું? ઠરવાનું છે જ શું ? કે ત્યાં જઈને ઠરું ? ” એટલે જ કનકરથ રાજકુમારને દેરાસરમાં પ્રભુભક્તિમાં ઠરેલા ચિત્તને લીધે પેલી કન્યા પર આંખ જતી નથી. હવે જ્યાં પિતાની જિનભક્તિ-ગુણગાન
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy