________________
૩૭
કવિ કહે છે –
નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિયા, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો. કાજ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો; શુદ્ધ બુધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિ. જીવની કરુણ કથની:
કવિ પ્રભુને જાતની કરુણ કથની કહે છે, અને આપણી પાસે પણ પ્રભુને આપણું કરુણ કથની કહેવરાવે છે, કે “હે નાથ ! આ જગતમાં મનુષ્યભવ પામવે કેટલે બધે દુર્લભ છે! એ ય મને મળી ગયે, તો પછી એ મળવા પર તે, પ્રભુ ! મારે મેહની પરવશતા મૂકી આપની જ આધીનતા સ્વીકારી લેવી જોઈએ. મેહ શીખવે એમ જ કરવા માટે તે આ જગતમાં જનમ ઘણાં, ત્યારે જિનેન્દ્રદેવ ! તું શીખવે એમ જ કરવા માટે આ એક જ મનુષ્યને જ ભવ; અને આ જ કરીને ભવના ફેરા મટે.
“હે મારા નાથ ! તારે વશ થવા તારી આજ્ઞાને વશ થવા માટેની ઊંચી તક આ દુર્લભ માનવ અવતારે પામ્યા છતાં હું કંગાળ આ ઊંચી તકની કિંમત નહિ સમજતાં તારી આધીનતા મૂકી મેહની આધીનતામાં પડયો રહ્યો! અફસોસ કે હું મેહાધીન બની મોહે શીખવ્યા દુષ્કૃત્યદુરિત્ર આચરતે રહ્યો. એમાંનું એક દુશ્ચરિત્ર આ કે પરસ્ત્રી દેખીને મારું મન એનામાં જઈ લાગી ગયું. આ મારી કેટલી મેહમૂઢતા! વીતરાગ દેવ જોવા મળ્યા તે એમાં જઈને ચિત્ત ન ચિંધ્યું, ને મળમૂત્ર ભરેલું ને માત્ર રૂપાળા એક