________________
બધું બુદ્ધિની વિશેષતાથી બુદ્ધિના અતિશયથી જ સમજાય એવું છે ને બુદ્ધિમાં એ અતિશય એ વિશેષતા શાસ્ત્રોનાં પરિશીલનથી જનમે છે એ ભૂલશે નહિ; જેથી શાસ્ત્રપરિચય જીવનમાં ખૂબ વધારવાનું કરાય.
કનકરથ રાજકુમારે મસ્તીથી પ્રભુની સ્તુતિ કરી, દિલ એમાં ગદ્દગદ થઈ ગયું, જીવનની આ જ ધન્ય ઘડી મનાઈ, જીવનને સાર પામવાનું આમાં જ લાગ્યું, કવિ સ્તુતિ કરતાં કહે છે
“અથિર સંસારમાં સાર તુજ સેવના. દેવના દેવ તુજ સેવ સારે....”
આ ફાની દુનિયામાં, આ અસ્થિર અને અસાર સંસારમાં, સાર કાંઈ હોય તે હે જિનેન્દ્રદેવ ! તારી સેવા જ સારભૂત છે. માટે મોટા ઈન્દ્ર પણ તારી સેવામાં તત્પર બને છે, તત્પર બની સેવા મળતાં એમાં તલ્લીન બને છે.”
અસાર સંસારમાં જિનેન્દ્રસેવા જ કેમ સારભૂત ?
વિચારજો, મેટા ઇંદ્ર જેવાને આ મેહિની ? એની પાસે અથાગ ઐશ્વર્યા છે, દિવ્ય વૈભવ છે, દેવતાઈ ગળચટાં સુખના ભંડાર છે. શી કમીના તે એ એમાં જે પ્રસન્ન નહિ એ પ્રસન્ન શ્રી જિનેન્દ્રદેવની સેવામાં ! એનું મગજ બહેર મારી ગયેલું કે સારું કામ કરતું ? મગજ મેડ, મૂઢ, કે તેજસ્વી ? બુદ્ધિને અતિશય એને આ મનાવી રહ્યો છે કે વૈભવ વિલાસ ઠઠારે વગેરે બધું અસાર; એમાંથી કશો માલ ન નીકળે, એનાથી આત્માને કશે ઉપકાર ન