________________
૨૨ અને જડને વિવેક ઊભું થાય, (૨) વિષયમાં મૂઢપણું અને કષાયોની પકડ એ કેવા અનંથકારી છે, જ્યારે (૩) એ ટાળીને સ્વામચિંતા રખાય એ કેવા અનર્થોને અટકાવી કલ્યાણને ઊભાં કરે છે, એનો વિવેક ઊભું થાય. હવે ખરેખર ત્યાજ્ય શું? અને આદરણીય શું ? એને અર્થાત્ હેય-ઉપાદેયને વિવેક જાગતે બને. આવી અતિશય અને વિવેકવાળી બુદ્ધિમાં શુભ ભાવનાઓ રમતી થઈ જાય, પછી લકત્તર પ્રશમસુખ ઊભું થવાનું સહેલું બની જાય.
- બુદ્ધિને અતિશય એ પ્રસંગ પરની કલપના પર મપાયઃ
આના પરથી આપણી જાતનું માપ કાઢી શકીએ કે આપણામાં આવે બુદ્ધિ-અતિશય અને વિવેક છે કે કેમ? પ્રસંગ–પ્રસંગ પર આપણને શું કુરે છે? આપણી બુદ્ધિને–ચિત્તને ઝોક કઈ તરફ જાય છે? કેવળ જડ વિષય અને એની લીલા તરફ? કે આત્મહિતકારી કઈ તત્વ તરફ?
દા. ત. સનેહી પ્રેમથી બેલાવતા આવ્યા તો (૧) “આ બહુ સારા સનેહી મળ્યા છે એવા હરખના ખ્યાલ પર ચડયે છું? કે (૨) “આમાં મારો પુર્યોદય અર્થાત પૂર્વ જીવનની મારી કઈ તપસ્યા-જિનભક્તિ કામ કરી રહી છે માટે સ્નેહીના નેહમાં તપસ્યા-જિનભક્તિ ન ભૂલું, આવો કોઈ ખ્યાલ આવે છે ? એવું ધન વગેરેની અનુકૂળતા થવા પર આ બે પ્રકારમાંથી કયા પ્રકારનો ખ્યાલ આવે છે? જો આત્મહિતકર તપ–જિન ભક્તિને ખ્યાલ આવતું હોય એ બુદ્ધિ અતિશયવાળી કહેવાય.