________________
૨૪o તમારા છોકરા-છોકરી સ્કૂલ-કોલેજોમાં જે ભણે છે, એમાં આ સદાચાર-દુરાચારને ભેદ કશે ભણાવાતું નથી. ઉલટું જ્યાં આ ભેદ નથી એવી પાશ્ચાત્ય સભ્યતા અને ખ્રિસ્તી ધર્મ મહાન હોવાનું વિદ્યાર્થીના મગજ પર ઠસાવાય છે. દુરાચારની ઉત્તેજના કરે એવા પહેરવેશ ચાલુ થઈ ગયા. સિનેમા-ચિત્રપટ એવું ખુલ્લંખુલ્લા દેખાડે છે. છાપાઓ એવી કથાઓ અને ચિત્ર બેફામ પ્રગટ કર્યો જાય છે.
બોલે, આમાં નવી પ્રજા કેવી તૈયાર થઈ રહી છે? એને શીલ-સદાચારના ઊંચા ખ્યાલ કેણ શીખવવાનું ? તમારા ઘરમાં આવેલા નવા અને માનવભવની આ શીલ–સદાચારની અતિશય મહત્તા ન શીખવવા મળે, બલકે ઊંધા માનસ ઘડાય, એવા ઉછેરનું તમને દુઃખ નહિ ને? એને અર્થ તે આ જ ને કે, “કૂતરા-કૂતરી પિતાના ભેટિલાને ઉછેર કરે એમાં શીલ-સદાચારનું શિક્ષણ હોય તે અમારે ત્યાં હોય ? માનવ તરીકેની ખરેખરી જવાબદારી સ્વ–પરમાં શીલ-સદાચારની સંભાળ કરવાની એ જવાબદારી કશી ઉઠાવવાની ખરી ? લગ્ન પહેલાં છોકરા-છોકરીને મેલાપ જે ચાહીને ગોઠવી અપાય છે, લગ્ન પછી ચાહીને જે રીતનું રીસેપ્શન ગોઠવાય છે, એમાં છોકરા છોકરીના મન પર શીલ-સદાચારને ભાવ રહે ખરો?
જવા દો, આજે અમારા અવાજ તમારા હૈયા સુધી પહોંચે એમ લાગતું નથી, પેલી ઋષિદત્તાને વનવગડામાં એકલી પડી પિતાના શીલની રક્ષાની ભારે ચિંતા થઈ (અપૂર્ણ).
(ભાગ-૧ સમાપ્ત)