________________
૨૨૯
સંપદારૂપ છે, ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ-ચારિત્રધર્મ એ જ સાચી સંપદા છે, કે જ્યાં બાહ્ય અંગે કશા સંતાપ નહિ, રેદણ નહિ, ભય નહિ; મન નિશ્ચિન્ત, નિરપેક્ષ, અને મસ્ત, તથા સ્વસ્થ ! ચારિત્રધર્મનું શરણું લેવાથી આવું મન બને. | ઋષિદત્તા પાસે આ ચારિત્રધર્મ નથી એટલે જંગલમાં પિતાના અગ્નિસ્નાનના સ્થળે ઊભી રઈ રહી છે કે “તાત ! તમે કયાં ચાલ્યા ગયા ? અહીં દર્શન આપે તે મારે કશું દુઃખ નથી, અરે ! દુઃખ પણ ઉત્સવરૂપ બની જાય; ઘરેથી કાઢી મૂકવાનું ય આપનાં મધુર મીલન માટે બને !
ધર્મના શરણ વિના જીવ ફોગટ ફાંફાં મારે છે. અસંભવિત સંભવિત થવાની કલ્પના કરે છે, અને નિષ્ફળ રહણું
રુએ છે.
કષિદત્તા મન વાળે છે
પરંતુ રષિદત્તાએ હવે જોયું કે રેતાં બેસી રહેવાને કઈ અર્થ નથી સરવાનો. તેથી વિચારે છે કે “ભસ્તીભૂત થઈ ગયેલા પિતા હવે દર્શન આપ, એટલે મારે આનંદમંગલ થાય....આવું બધું બોલવું એ ગાંડપણ છે, મરેલા કેઈ પાછા આવ્યા છે ? માટે એવા ગાંડા બેલ બોલવાથી સયું. કારમું કલંક ચડયું તે ચડયું. એ તે પૂર્વભ જે આરેપ બીજા પર ચડાવ્યું હોય તે જ અહીં આપણા પર ચડે છે. જેવું વાવીએ તેવું લણાય; માટે,
વર્તમાન કલંકને શે શેક કરે ? શેક કરું તો પૂર્વે મેં કેઇને દીધેલ કલંકન જ ન કરું ?