________________
૨૧૬
‘ આ બધું બની ગયું એમાં કોઈ ને દોષ દેવાની જરૂર નથી. એમાં માત્ર મારા પૂર્વનાં કમ કામ કરી રહ્યા છે. જો કમ સલામત હાત તા મારે આ કલંક ચડવાનું શાનુ હાય ? ને મને ઠેઠ જાનથી મારી નાખવાની શાની હાય ? અહીં મેં કોઈનુ કાંઇ બગાડયું નથી તે આવી મેટી આપત્તિ શાની આવે ? પણ પૂછવામાં કયાંય દુષ્કૃત આચર્યા હાય, એનાં બધાયેલા કર્મ ફળ આપ્યા વિના શાના રહે ? ગુના વિના સજા નહિ, તે પછી ગુના અહીં'ના નહિ, તે પૂના
છતાં મારા ધર્મે મને જીવતી રાખી. એ સારું થયું.... માટે જ જગતમાં એક માત્ર ધર્મનું જ શરણ લેવા ચાગ્ય છે. અહીં કયાં પિતાજી કે પતિ વગેરે કોઇ જ બચાવવા આવ્યું ? પૂર્વ ભવે આડા હાથે પણ ધ કાંઇક કર્યાં હશે એણે જીવતી કપાતી બચાવી. નહિતર તલવાર ઉગામીને મારી નાખવા તૈયાર થઇ ગયેલ તે માર્યા વિના એમજ શાના ચાલ્યા જાય ? કાણુ બીજુ અહીં ખચાવનાર દેખાય છે. ખરેખર ધર્મ જ શરણભૂત છે.’
જેની પાસે ધર્મ નથી, એની આકુળ વ્યાકુળતા દુનિયામાં ઠામઠામ જોવા મળે છે. માટે ડગલે ને પગલે મનમાં ધર્મનુ શરણું સ્વીકારતા રહેા. એથી પહેલા મહાન લાભ આ થશે કે ઋષિદ્ધત્તાની જેમ મન સ્વસ્થ રહેશે. મનને ખેાટી વ્યાકુળતાવિહ્વળતા નહિ થાય, અને તેથી બીજાએ ઉપર કષાયની આંધી નહિ ચડે. મનને શાંતિ રહેશે કે ધર્મ જ તારણહાર છે, માટે એના જ ભાસે રહેવા દે. ખીજાના આધાર માન્યા ખાટા, અને બીજાને દોષ દેવા ય ખાટા,