________________
માણસનું ખૂન થયેલું છે. બીજી બાજુ જુએ છે તે ત્રાષિદત્તાનું મેટું લેહી ખરડ્યું છે. એ ચમકી ઊઠે છે, એના મનને એમ થાય છે કે,
આ શું ? શું મારી પત્ની રાક્ષસી છે ? બહાર કઈક મારી નખાયે સંભળાય છે, ને અહીં આ લેહીયાળ મેં તથા માંસના ટુકડા પડયા છે ! ત્યારે શું આ રાક્ષસી ? તે રાક્ષસી મારી પ્રાણપ્યારી હેય? શાસ્ત્રમાં જે સંભળાય છે કે રૂપ અને સંપત્તિ પાપ માટે થાય છે, એવું અહી આ રૂપાળી સ્ત્રીમાં બન્યું લાગે છે. હે વિધાતા ! હે તાત! આ ઉલટું શું બન્યું? પત્ની તે સારી ગુણિયલ દેવી જેવી માનીને કરી ને એ રાક્ષસી નીવડી? હું કયાં ફસાયે જંગલમાં ?...”
કુમારના મનમાં અનેક સંક૯પ-વિકલપિ ઊઠયા. સારી ગુણિયેલ એવી પણ ના પદત્તાનું મે લેડી–ખરડયું અને પાસે માંસના ટુકડા દેખ્યા, તેથી માણસના ખૂન સાથે સહેજે આની કડી જોડાઈ ગઈ, ને એમાં કારણભૂત રૂપને માન્યું. મહર્ષિઓની વાણી એને યાદ આવી કે,
રૂપ અને સંપત્તિ પાપ કરાવનાર બને છે.”
જગતમાં આવું બહુ બનતું દેખાય છે કે રૂપાળા સ્ત્રીપુરૂ કેવા કેવા જાતે પાપે આચરે છે અને બીજા પાસે આચરાવે છે.
સૂર્યકાન્તા રાણી બહુ રૂપાળી, તે પહેલાં તો પતિ પ્રદેશી રાજાને એ ઘેલે કરેલો કે એ બિચારાને દેવ-ગુરુ-ધર્મ કશું યાદ જ ન આવે, ઉલટું નાસ્તિક બની લેકમાં પણ ધર્મ ન ચાલે એ માટે નગરમાં સાધુ–સંત જ આવતા બંધ કરેલા. સૂર્ય કાન્તાના રૂપનો આ એક અનર્થ. પછી બીજો અનર્થ એ થયું કે