________________
૧૭૬
આથી જ કે વિષય કષાયના આવેશમાં ભાન ભૂલી જીવે જાલિમ વિચારણા યોજના-પ્રવૃત્તિ કરી હોય છે.
મરીચિએ શિષ્ય કરવાના લેભના આવેશમાં ઉત્સુત્ર ભાષણ કર્યું, તે એને અસંખ્ય ભવ દુર્ગતિઓમાં ભટકવું પડયું. કેટલાય ભવ દેવગતિ મનુષ્યગતિ મળી, તે ય જૈન ધર્મનું મોટું દેખવા ન મળ્યું ! અજ્ઞાન કષ્ટતપથી દેવક મળે, તેથી શું ? આત્માની ઉના, આત્માનું કલ્યાણ ક્યાં છે? ભવે ભવે ત્રિદંડિક સંન્યાસીપણું લઈ સંસાર છોડવા છતાં, જૈનધર્મ મળ્યું નથી તે પાપના ત્યાગ કયાં છે? સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર કયાં ?
૨૫. જોગણુની પાપલીલા કિમણીએ ગણને સાધી. જેગણ વિદ્યામંત્રની જાણકાર હતી. એણે ઘાટ ઘડી કાઢયે એ કે જેમાં ત્રાષિદત્તા કઈ હત્યારી ડાકણ છે, અને મનુષ્યના માંસ-લેહી આરોગનારી છે, એ ભાસ થાય ! વિદ્યામંત્ર તે દિવ્ય વસ્તુ છે, એને ઉપગ છે? દિવ્ય કામ કરવાને? કે રાક્ષસી-પિશાચી કામ કરવાન? પરંતુ,
વસ્તુ ગમે તેટલી સારી હોય છતાં એના ઉપયોગનો આધાર એ વસ્તુના પાત્ર ઉપર છે.
પાત્ર કેટલી લાયકાતવાળું છે એ હિસાબે ઉપયોગ થવાને. વરસાદનું નિર્મળ પાણું એનું એ જ, પણ સાપને મેંમાં જઈ ઝેર બને છે, ને ગાયનાં મુખમાં જઈ દૂધ બનવામાં ઉપયોગી