________________
૧૭૧
અટકાવવાથી કલ્યાણ કે દ બવાથી ક૯યાણ? દર્શનમાં કઈ આડે આવ્યું ત્યાં ગુસ્સો અટકાવવા આ વિચારાય કે “ દર્શનથી મારે આત્મકલ્યાણ સાધવું છે, કષાયને મારવા છે, અંતે વાત રાગ થવું છે, તે શું કામ ગુ કરું?”
વીતરાગના દર્શનાદિ વીતરાગ થવા માટે હોય; ને વીતરાગ થવાનું રાગ-દ્વેષ કામ કોધાદિને સદંતર નષ્ટ કરી દેવાથી જ બને.
બીજા સરાગ દેવ નડિ, ને વીતરાગ દેવનું આલંબન પકડીએ, એમનાં દર્શન પૂજન ગુણગાન કરીએ, તે વીતરાગ બનવા માટે જ હોય. આ આલંબનની બલિહારી છે; કવિ કહે છે,
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ કે; દેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ કે ત્રષભ જિર્ણોદશું પ્રીતડી. ' તન-મન-ધન વાપરવા છે, કયાં વાપરીએ તો ઊંચા આવીએ ? ને આપણી પ્રભુતા યાને વીતરાગ દશા પામવા તરફ ચડવાનું થાય?
કહે વીતરાગ ભગવાનમાં એ લગાવીએ, તન–શરીર પ્રભુને જેવા માં ને વીતરાગની આજ્ઞા પાળવામાં વપરાય, મન પ્રભુનાં જીવન ગુણે અને ઉપકાર ચિંતવવામાં વપરાય, ધન પ્રભુની ભકિતમાં જાવ મતલબ, વીતરાગરૂપી વિષયમાં તન-મન-ધન જેવાય, તે નિજના રાગ-દ્વેષ વગેરેની ગુલામી એાછી થતી આવે, રાગ દ્વેષાદિ ઘટતા આવે અને અંતે સર્વથા નાટ થઈ વીતરાગ પણની પ્રભુતા પ્રગટ થાય. આ વીતગનાં આલંબને જ થાય.