________________
૧૬૬
નાની બાબતમાં ય સમજદાર સાથે ચાળીને ચિકણું કરવામાં સામાની સમજદારીની અવગણના થાય અને એમાં એને આપણા પર અભાવ ઊભે થાય છે. જાતને જ વિચાર કરી જુઓ, તમારી સાથે કોઈ નાની બાબતમાં તમારા વિચારથી વિરુદ્ધમાં ખેંચા ખેંચ કરે, દલીલબાજી કરે, તે તમને કેવું લાગે? એવું જ ને કે આ કેમ બેટી ખેંચા ખેંચ કરે છે? મેં આમ કર્યું એમાં મને શું અક્કલ વિનાને ગણે છે તે બેટા પ્રશ્ન કરે છે? આ કઈ મોટી બાબત હતી તે એમાં મેં સમજ વિનાનું કર્યું માને છે? આવું જાત માટે લાગે તે બીજાને પિતાના માટે એવું ન લાગે ?
રાજા કુમારને સમજદાર માને છે, અને પિતે જુએ છે કે, મુખ્ય બાબત સારી કન્યા પરણવાર હતી તે તે પતી ગઈ છે; તે હવે એ રુકિમણીને કેમ ન પરણી લાવ્યા ને આને કેમ લાગે, એ બાબત મહત્વની નથી.” બસ, એ અંગે કાંઈ પૂછ્યું નહિ. કુમારને રહેવા અલગ મહેલ આવે.
૨૪. માનસિક રે રફિમણ પર પ્રત્યાઘાત –
ઋષિદત્તાને અહીં હવે અશુભ કર્મનો ઉદય જાગે છે, તે એની સાથેના કુમારના લગ્નના સમાચાર પિલી રુકિમણીને પહોંચી જતાં, એ ઊંચીનીચી થાય છે, રુકમણીને આશાના ભાંગીને ભુક્કા થયા દેખાયા. કુમારને પરણવાનો રાગ તે ઘણું જ હતું,