________________
અંગે તે સામેને દૂત કહે છે એટલા માત્ર પર વિશ્વાસ કેમ ધરાય? બાપને પોતાની કન્યા સારા ઠેકાણે વરાવવી હોય એટલે એ તે એનું સારું જ ગાય. બાકી કન્યાનું સાચું સ્વરૂપ તે આપણા વળ દ્વારા આજુબાજુથી તપાસ કરાવીએ તે જ ખબર પડે. તો એ રીતે કન્યાના ગુણને લાયકી જાણ્યા વિના એકલા વિષયરાગમાં અંધ બની રૂપમાં આકર્ષાઈને સંબંધ બાંધવામાં શું લાભ? કદાચ આત્માને જીવનભરના સંતાપ-અસમાધિ ઊભા થાય તે ? ”
કુમારનું મન દ્વિધામાં પડ્યું. એક બાજુ પિતાની આજ્ઞા છે, તે બીજી બાજુ આંધળિયાં કરી ગમે તેવી કન્યા સાથે જીવનભરનો સંબંધ બાંધવામાં જખમ દેખાય છે. આ જોખમને વિચાર જડ કરતાં આત્માનું વધારે મહત્વ આંકવા પર આવે છે. મનને જે એકલા જડ વિષય-સુખનું જ મહત્ત્વ હોય, તે તે મનને એમ થાય કે, “લાવોને, રૂપાળી રાજકન્યા આપણે માગવા ગયા વિના આપણને ઘેરબેઠે લાવી ધરાય છે ને ? તે વધાવી લે.”
કુપાવ બેટા ને વિષયલંપટી પણ બેટા :
પરંતુ ના, મનને મહત્વ આત્માનું વધારે લાગે છે, તેથી મન આ વિચારે છે કે, “વિષયલંપટતાના આંધળિયામાં જે કપાતર (કુપાત્ર) સાથે જીવન-સંબંધ બંધાઈ ગયા, તે આત્માને રેજના સંતાપ, રોજનાં આર્તધ્યાન, રેજની અસમાધિ ! અને સારા સહયોગથી આત્મહિત સાધવામાં જે અનુકૂળતા રહે તે લૂંટાઈ જાય. એમ ભલે ને એવું કુપાતર નહિ, પણ સેવાકારી પાત્ર મળ્યું, કિન્તુ જો એ માત્ર વિષય