________________
૧૬૩
દાસી જેવી થઈને રહે ? ....ડજારો લાખ રૂપિયા કેમ બને? કયા બજારમાં સારું માર્જિન છે?... સમાજમાં માનવંતા કેમ બનાય ?...આવી આવી મેટી બાબતોની લપ બહુ કરાય છે, બની શકે એટલે એની પાછળ ઉદ્યમ કરાય છે, એટલે જ એના ઘેરા સંસ્કારોને થર મગજ પર જામતો જાય છે પછી એ સંસ્કારો ધર્મ સાધના કરતી વખતે શાના જપે ? ત્યારે પૂછો.
દુન્યવી કાર્યમાં નહિ. ને ધમ કાર્યમાં મને કેમ અસ્થિર ?
પ્ર - દુનિયાનાં કામ કરતી વખતે નહિ, ને ધર્મ કરતી વખતે જ કેમ આડાઅવળો વિચાર બહુ આવે છે?
ઉ૦- આનું કારણ સ્પષ્ટ છે દુનિયાની બાબતેના દઢ સંસ્કારોથી એને રસ બહુ; એ રસથી દુનિયાનાં કામ કરતી વખતે જીવ એમાં બહુ ઓતપ્રેત થઈ જાય છે, તેથી મનમાં
એના જ વિચાર રમતા હોઈ બીજ–ત્રીજા વિચારને જગા નથી મળતી. ત્યારે, ધર્મકાર્યોથી ધર્મની બાબતોથી એવા દૃઢ સંસ્કાર પાડ્યા નથી, તેથી ધર્મને રસ જમા નથી, એટલે એવા રસ વિના ધર્મનાં કામ થાય એમાં ચિત્ત ઓતપ્રેત ક્યાંથી રહે? ન રહે એટલે એના જ વિચાર એવા જોરદાર સતત ચાલે નહિ, પછી દુન્યવી બાબતોના ઘેરા સંસ્કાર અને દુન્યવીને રસ બીજા-ત્રીજા વિચારની હારમાળા ચલાવે એમાં નવાઈ નથી.
ધર્મમાં મન સ્થિર કરવાના ૪ ઉપાય :એટલે કર્તવ્ય આ બની રહે છે કે દુન્યવી લપ ઓછી