SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ પડા કાળમાં એક ગુમાસ્તા પર શેઠનું જેટલું અંજામણ અને ભારબાજ હોય એટલું શિષ્યની ઉપર ગુરુનું અંજામણ અને ભારબાજ કેટલામાં જોવા મળે? ગુરુની આજ્ઞા કે ઈરછા હોશે વધાવી લેવાનું કેટલામાં દેખાય? શું બધામાં? ના, એટલે જ કહેવાય છે કે દુન્યવી વૈભવ-ઠઠારાનાં અને સત્તાના અંજામણ અનેરાં. વલવ જેવા અંજામ ધર્મનાં નહિ, ગુરુના ગુણેનાં નહિ, તેથી એમની શેઠ જેવી તાબેદારી કોણ સેવે? સત્તા લાવનાં અંજામણ અનેરાં ! તેથી રાજા બનનાર કનકરથને ડર નથી કે બે રાણી કરું ને એ અંદર અંદર લડી મને પજવે તે ? આ ડર ન હોવાનું કારણ પિતાની સત્તાધીશતાની આગળ રાણીઓની શી મજાલ કે ગરબડ મચાવી શકે ? ગરબડ મચાવાનારી, તગેડાઈ જ જાય. આમ, કુમારને ડર ન હ છતાં રાજકુમારે ત્રવિદત્તાને પરણ્યા પછી રુકિમણીને પરણવા જવાનું કેમ ન કર્યું ? એના માટે તે ઘરેથી નીકળ્યું હતું ને વળી રુકિમણું અને એને બાપ કુમારને ખૂબ ઝ ખી રહ્યા હતા. ત્યારે કહે, કુમારના દિલમાં એવી વિષયલંપટતા અને માનાકાંક્ષા નહતી, તેથી રુકિમણને પરણવા જવાનું માંડી વાળ્યું વિષયલંપટતા અને માનાકાંક્ષા માણસને અધિક વિષ તરફ દેડાવે છે. અને દુનિયાના વિષયો તરફ અધિક દેટ એટલે ભગવાન વધારે ભૂલાવાના.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy