________________
૧૩૮
કરવામાં, ભોગવવામાં, સંભાળવામાં કષ્ટ ઓછાં છે? આધિવ્યાધિ ઓછી છે? સગા-વહાલાનાં મેં સાચવવામાં કષ્ટકલેશ નથી પડતા? બોલે, સંસાર તમારે સુંવાળી ગુલાબની શયા જે છે ખરે? કઈ જ ચિત્તકલેશ-કષ્ટ-આધિ-ઉપાધિ નથી?
જીવને ગુલામ બનાવનારી, વિષયેની જ સેવા કરાવનારી અને સેંકડો ગમે તેવાં કલેશ-કષ્ટ ઉપડાવનારી આ વક યુવાની પણ અંતે તે જોતજોતામાં ઊડી જનારી ! એવી અનિત્ય નાશવંત યુવાનીના દુરાચરણમાં યથેચ્છ વર્તનમાં નિત્ય અવિનાશી આત્માએ પિતાનાં હિત વિસરી જવાના?
હરિષણ તાપસકુમારને શું કહે છે? :
જુઓ પેલા હરિણ રાજાએ યુવાની આમ વેડફી નાખવાની પોતાની મૂર્ખતા વિચારી શું કર્યું? રાજ્યપાટ અને નવી મનગમતી રાણી પ્રીતિમતીનાં સુખને તિલાંજલિ આપી સંન્યાસને અને તપને માર્ગ લીધે તે હવે માથે આવી પડેલી ઋષિદત્તા કન્યાની આપદા હેઠી ઉતારી રાજકુમાર કનકરથને ભળાવી દઈને કુમારને કહે છે.– “કુમાર ! નાશવંત યુવાનીથી અવિનાશી મારા આત્માનાં કશા હિત સાધ્યા નહિ; પણ પ્રભુકૃપાએ જાગીને પાછળથી આ કાયાથી શક્ય તપસ્યા કરી લીધી. હવે કાયા વૃદ્ધ થઈ ગઈ છે તેથી હું એને અગ્નિમાં પ્રવેશ કરાવી ભસ્મીભૂત કરવા ઈચ્છું છું. કેમકે મારા જેવા ઘસાઈ ગયેલા માણસને જીવવા કરતાં મરવું ભલું.”