________________
૧૧૩
કરે તે?” એટલે કન્યાની રક્ષા ખાતર હરિષણે એને એવું વનસ્પતિઓનું અંજન આપી મૂક્યું છે કે એવા પરજન દેખાઈ જતાં પિતે એ આંખમાં આંજીને અદશ્ય બની શકે. કથાનું અનુસંધાન –
વાત ચાલી છે કનકરથ રાજકુમારની. એ પિતાના આગ્રહે રુકિમણી રાજકન્યાને પરણવા જઈ રહ્યો છે, એમાં એને જંગલમાં રૂપાળી કન્યા દેખાઈ પણ પાછી તરત એ અદશ્ય થઈ ગઈ. ત્યાં વળી એમાં જિનમંદિર જોવા મળ્યું, તે નાહી-ધોઈ રાજકુમાર પ્રભુની પૂજા નિમિત્તે મંદિરમાં ગયે. ત્યાં એક તાપસ અને પિલી કન્યા દેખાયા! બહાર આવી તાપસને “આપ કેણ છે? અને અહીં જગલમાં આ કન્યા કેણ?” એમ પૂછતાં, તાપસે હરિણ રાજાનો પ્રસંગ કહેવા માંડે છે તે હવે અહીં સુધી એની હકીક્ત કહી. હવે રાજ પુત્રને કહે છે -
“જે ભાગ્યવાન ! એ હરિષણ તાપસ હું પોતે જ અને આ ત્રિષિદત્તા મારી કન્યા છે. તમારા માણસોને અને તમને એ દેખાયા પછી તરત અદશ્ય થયેલી તે અંજનના પ્રતાપે.અજાણ્યા માણસ તરફથી શીલ પર આપત્તિનો પ્રસંગ ન આવે એ માટે કન્યાને અહીં અદશ્ય થવા સિવાય બીજો ઉપાય છે?” તાપસને કુમારને વૈરાગ્ય અંગે સંવાદ -
રાજપુત્ર કનકરથ તાપસને આ અધિકાર સાંભળી દિડ્રમૂઢ થઈ ગયે. હરિપેણ તાપસના અદ્દભુત જીવન પર , ઓવારી ગયે કહે છે, “ધન્ય તમારે અવતાર ! ધન્ય તમારું