________________
પ્રગટી ઊઠ્યા પછી, પુત્રમેહ શું, કે પત્નીહયા રાજ્યમેહ શું, બધાય બાજુએ બેસી જાય. ત્યારે, જગતમાં પાર વિનાના નિમિત્તો એવા છે કે જે એક પણ ધ્યાન પર આવતાં જીવના વૈરાગ્યને વધારી દે, અને અંદરનું જેમ ઊછળી પડતાં જીવ બધા ય મમત્વને ફગાવી દઈ ત્યાગ તરફ ને ત્યાગી જીવન તરફ દોટ મૂકે.
રાજા હરિફેણ પહેલાં રાણી પ્રીતિમતિને કહે છે, “જુઓ આ જીવન મારું, જીવનને અમૂલ્ય સમય દુઃખદ રંગરાગ અને ભેગમાં વેડફાઈ જઈ રહ્યો છે, માનવજીવનનું મહાન ફળ તપ અને ત્યાગ એ ચૂકાઈ રહ્યા છે. આમ તે જીવનને ભરોસો પણ શું છે કે જ્યારે ધબ કરતું બંધ પડી જાય ? અને એમ થતાં પહેલેક-કમાણી કરવાની તદ્દન જ રહી જાય. માટે હું હવે આ બધી માયા છોડીને તપોવનમાં જઈ તપ તપવા ઈચ્છું છું. કાયાને ય શો વિશ્વાસ છે કે એ કયારે તદ્દન જ શિથિલ ન પડી જાય ? કે કોઈ મહાગથી ક્યારે ન ઘેરાઈ જાય ત્યાં પછી શી તપસ્યા થઈ શકે ? માટે આજે શકિત છે, તે સારી તપસ્યા સાધી લેવી.”
રાણી કહે, “હજી આપણે સંબંધ તે હમણાં થયે છે, ને એકદમ જ ત્યાગના પંથે જવું છે?”
રાજા ઉત્તર કરે છે, “દેવી ! આમાં એકદમ જેવું શું છે? જીવનને ભરોસો નથી, એ તમે તમારા જીવનમાં બરાબર અનુભવ્યું છે. જુઓને સર્પદંશ એકાએક જ થયેલે ને તમે મૃત્યુ જેવી સ્થિતિ પર એકાએક જ આવી ગયેલા! કાળને કૂર પંજો જીવ પર કયારે પડે એનું શું કહી