________________
પણ એટલામાત્રથી મિક્ષ નહિ અટકે, કિન્તુ આજ્ઞાસ્વીકાર એ છે ન ચાલે, ને એથી તે મોક્ષ જરૂર અટકી જાય.
વ્યવહારમાં જુઓ શું છે? બાપની કે શેઠની ભક્તિ બહુ કરે, પરંતુ એમની આજ્ઞાની પરવા ન રાખે, ખુશમિશાલ આજ્ઞા વિરુદ્ધ વર્તે, તે એ કાંઈ બાપને લાયક દીકરે કે શેઠને લાયક નોકર નહિ ગણાય. બાપ કે શેઠ એને સારો ન માને, પછી ભલે એ સેવાભક્તિ સારી કરતે હેાય. એવું જ વીતરાગ પરમાત્મા અંગે છે. એમની આજ્ઞા પાળવાનું એમના આદર્શ એમનાં સિદ્ધાન્ત અને એમની દષ્ટિ ધરવાનું જ મેટું મહત્ત્વ છે. વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાનું વિશેષ મહત્વ કેમ?
એટલા જ માટે કે જે રસ્તે એમણે ચાલીને નિજનાં આત્મકલ્યાણ સાધ્યાં, ને જે એ જ રસ્તે એમણે જગતને બતાવ્યું, એ જ આપણા માટે પણ કલ્યાણ માર્ગ હોય ને ? અર્થાત્ એમનાં વચનના આધારે જ કલ્યાણમાર્ગ ને? કે વચનથી આડા ચાલવામાં કલ્યાણ થાય ? સર્વજ્ઞનાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-અમલ-આચરણ હજી ઓછું બને, કિન્તુ કમમાં કમ એમનાં સર્વ વચનને સંપૂર્ણ સ્વીકાર તે જોઈએ જ. એ હોય તે પછી પ્રવૃત્તિની ઓછાશમાં અફસી થાય. એ અફસોસી પ્રવૃત્તિમાં આગળ વધારનારી બનવાની તે ઠેઠ વીતરાગ બનવા સુધી પહોંચાડશે. મૂળ પાયામાં સંપૂર્ણ આજ્ઞા–સ્વીકાર સલામત જોઈએ.