SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલને વિપુલ સંસાર ૨૬૯ માતા ! તને હું હાથ જોડું છું કે તમે ગમે તે રીતે તેને સમજાવે કે પ્રીતિ વગર પણ મારી સાથે આવે તો મારું સંકટ ટળે. વિમલા કહે તું ચિંતા કરીશ નહિ હું કમલાને સમજાવું છું ઈશ્વરની ઈચ્છા હશે તે કમલા માની જશે. ત્યાંથી વિમલા કમલા પાસે ગઈ અને સમજાવવા લાગી, હે પુત્રી ! રાજકુમારને હુકમ છે કે ધમ્મલે સ્ત્રી સાથે સવારે બગીચામાં આવવું એટલે મને કે કમને પણ તારે સવારે તેની સાથે બગીચામાં જવાનું છે. બેટી હઠ ના કરીશ, ખેટો ગુસ્સે પણ ના કરીશ સવારે પતિની સાથે જજે અને કદાચ જે આ પતિ તને ગમતું ન હોય તે ત્યાં બીજા અનેક નવજુવાને આવનાર છે તેમાંથી પસંદ કરી તારી ઈચ્છા મુજબ ગમે તેને પસંદ કરી લેજે પર તુ એટલું ધ્યાનમાં રાખજે કે સ્વછંદીપણું કદી સુખ નહિં આપે હવે તારે શું કરવું એ તારે જોવાનું છે. આ માટે એક દષ્ટાંત સાંભળવા જેવું છે કે સ્વછંદતાનું કેવું પરિણામ આવે છે ! તે છે વસુદત્તા અને અરિદમનનું દૃષ્ટાંત. કમલા કહે છે માતા કઈ વસુદત્તા અને કયે અરિદમન રાજા? તેની વાત મને કહી સંભળાવે. વસુદત્તાનું દષ્ટાંત અવંતિ નામે એક મોટું નગર હતું. તેમાં ધનદત્ત નામે એક મહાધનવાન સાર્થવાહ રહેતું હતું. તેને ધન શ્રી નામે પત્નિ હતી. તેમજ તેમને ધનવસુ અને વસુદત્તા નામે પુત્ર પુત્રી હતાં. કૌશાંબી નગરીથી વેમાર રોજગાર નિમિત્ત ત્યાં
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy