________________
૩૮૬
ત્યાં પારણું ઝુલતું હતું. રાજા યુધિષ્ઠિરને તે સ્વ-પરના ભેદ જેવું હતું જ ક્યાં? તેઓ તે રાજમહેલની કાર્યવાહીથી જરા હળવા થાય કે આ છોકરા પર મુગ્ધ થઈ જતા.
નવજાતનું નામ કરણ સહુ આ આગંતુક જીવનું કશું નામ પાડવા માંગતા હતા. ને પેદા થતે જીવ ભલે પિતાનું ભાગ્ય લઈને જન્મ હાય પણ નામ લઈને કેઈથ્રેડો જ જન્મે છે. અને એટલે જ બધા ભેગા થઈને અનામીના પણ નામ પાડવાની ચેષ્ટા કરતા હોય છે !
સહ શુભ દિવસે ભેગા મળ્યા. આ સુભદ્રાના હૈયાનું નામ પાડયું....“અભિમન્યુ....” માનવ વિવિધતા પ્રિય છે. દરેક જમાનામાં લોકે નામને કંઈક નવું જ પાડવાની કેશિષ કરતા હોય છે !
‘અભિમન્યુ તદ્દન નવું નામ હતું. કુટુંબની કેટલીક સ્ત્રીઓને તે તે નામ જલદી બેલતા ફાવે તેમ ન હતું છતાંય હશે હશે તે બધી સ્ત્રીઓએ અભિમન્યુનું નામ યાદ કરી નાંખ્યું ! રાજા યુધિષ્ઠિરે કરેલી આ નામની પસંદગીને સહુએ વધાવી લીધી હતી!
સહુને લાડકવાય બાળ અભિમન્યુ જાણે કઈ પુણ્ય પગલાને આવ્યો હોય તેમ લાગતું હતું !
અભિમન્યુને રમાડતા ઘણીવાર યુધિષ્ઠિર કહેતા.
“બેટા, અભિ! તું મહાપુણ્યપગલાને છે. તારા જન્મ બાદ સ્વાભાવિક સાતેય ક્ષેત્રમાં મારી દાનરુચિ વધી