________________
બે બોલ
વિ. સં. ૨૦૩૭નું મારું ચાતુર્માસ તીર્થરક્ષાના હેતુથી આકેલા જીલ્લાના અંતરીક્ષજી તીર્થમાં થયું. ચાતુર્માસ દરમ્યાન અમે કુલ બાર મુનિઓ હતા અને એકાવન સાધ્વીજીઓ હતાં.
આ ચાતુર્માસમાં ભક્તિ, તપ, જપ, કાર્યોત્સર્ગની તો ધૂમ મચી. ન્યાય, વ્યાકરણદિના પાઠે પણ રહ્યા. તેની સાથે વાચના રાખી. સંવેગરેગશાળા અને ત્યાર બાદ મારી મુનિ-જીવનની બાળપિથીના બે ભાગ.
વાચનાનું સુંદર પરિણામ જોવા મળ્યું. સંયમજીવન ખૂબ સુંદર પરિણતિ સાથે આરાધવું જોઈએ એમ અમને સહુને લાગ્યું.
બાળપેથીમાં સંગ્રહિત કરાયેલા વિચારોથી ઘણું વાત ઘણાને જાણવા મળી.
આ પરિણામ જોઈને મને મનમાં વિચાર આવ્યો કે ક્યારેક પાલીતાણા જેવા ક્ષેત્રમાં વિશાળ સંખ્યાને સાધુ-સાધ્વીગણ ચાતુર્માસ કરે. (તેમની નિર્દોષ ભિક્ષાચર્યા માટે અનેક સાધર્મિક સકુટુંબ વસવાટ કરે.] અને જે તેમને હૃદયસ્પર્શી જીવનપરિવર્તનકારી વાચના આપવામાં આવે તો જૈન શાસનને યોગક્ષેમના એક માત્ર સાધક જૈન સંઘના જવાહરસમાં સેંકડો સાધુ-સાધ્વીઓને અવર્ણનીય લાભ થાય.
આથી તેઓ પોતાના સંયમજીવનને વધુ ઉન્નત બનાવે અને તેનું અત્યન્ત સુંદર પરિણામ ટૂંક સમયમાં સમગ્ર જૈન સંઘમાં જોવા મળે.
વકીતાણ ની ભિક્ષાબત હકાર