________________
૪૦
મુનિજીવનની બાળપોથી (૧૦) પિતાના શિષ્યોના બ્રહ્મચર્યની સહજ રક્ષા માટે એક મુનિવરે ઉપાશ્રયના પાછલા ભાગના ખુલ્લા દ્વારમાં ઊભા લોખંડના સળીઆ જડાવી દેવાની પ્રેરણા કરી. તરત અમલ થશે. કેવી, નિમિત્ત-નાશની અપૂર્વ તકેદારી !
(૧૧) એ મહાત્માને મીઠાઈ વગેરે સ્વાદપ્રચૂર દ્રવ્યને તે ત્યાગ જ હતું. પરંતુ છતાંય રોટલી ખાતાં ય રાગ થવાનો ભય હતે; તેથી તેઓ દરેક રોટલી ઉપર દેશી દિવેલ ચોપડીને જ વાપરતા.
બીજા મહાત્મા બધી વસ્તુ એક પાતરામાં ભેગી કરીને તેમાં આયંબિલખાતાનું કરી આતું નાંખી દેતા.
ત્રીજા મહાત્મા મોંમાં એક જ બાજુથી દરેક કેળીઓ ઉતારતા અર્થાત્ કઈ કેળીઆને મમરાવતા નહિ. જાણે કે એક બાજુ અવાળુ થયું હોય તે રીતે હાથે કરીને વાપરતા.
રાગને ધૂળ ચાટતે કરતા એ મહાત્માને વંદન ! વંદન !