SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મુનિજીવનની બાળપોથી આટલું ધ્યાનમાં લેવા જેવું SSC (૩૦) કામળી ઓઢવા અંગે : ઉનાળામાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે બે ઘડી શિયાળામાં ચાર ઘડી અને ચેમાસામાં છ ઘડી સુધી ખુલ્લા આકાશ નીચે જવું હોય તે ઊનની કામળી ઓઢીને જ જવું જોઈએ. તે કામળી પણ આવા શરીરને ઢાંકે તે રીતે જ ઓઢવી જોઈએ; પણ માત્ર આસનિયું માથા ઉપર નાંખી શકાય નહિ. વળી આ ઊનની કામગીની અંદર સૂતરને કપડાં–કામળીથી બે ય બાજુ એકેક વેંત જેટલે મેટો–લગાડે જઈ એ. નિશીથ ચૂર્ણમાં કહ્યું છે કે તે સમયે જે તમસ્કાય પડે છે તેના જીવોની રક્ષા માટે આ કામળી ઓઢવાની હોય છે. ઊનની સાથે અંદરના ભાગમાં સૂતરને કપડો હોય. તે જ તે રક્ષા સંપૂર્ણપણે થઈ શકે છે. આ જ રીતે લાઈટ વગેરેની ઉઝઈ પડતી હોય તે કામળી ઓઢવી જોઈએ. હા... શરીર ઉપર ઉઝઈ પડવા સાથે ચન્દ્રને પ્રકાશ પણ જે પડતો હોય તે તેનાથી તે ઉઝઈ અચિત્ત થઈ જાય છે ખરી; તેથી તે વખતે ઉઝઈને જીવોની રક્ષા માટે કામળીની જરૂર ન રહે. (૩૧) ઉઝઈની વિરાધના અંગે: પ્લેબ વગેરેનાં જે કિરણો સીધાં– દૂધીઆ જેવા કાચથી નહિ આંતરાએલાં--
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy