SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મુનિજીવનની બાળથી કેટલાક મહાન વક્તાઓ; મોટા શાસનપ્રભાવક, અજોડ લેખકે, ઉગ્ર તપસ્વીઓ, ખાખી સંયમીઓ પણ સુગ્ય સદ્ગુરુની પાસે પિતાના સૂક્ષ્મતમ દોનું આલોચન કરવા માટે ક્યારેક અત્યંત કાયર હેય છે. જે આપણે મુનિજીવનને સફળ બનાવવું જ હોય. તે શુદ્ધ અને સંપૂર્ણ આલેચના અને પ્રાયશ્ચિત્તને આપણા જીવનમાં ગૌરવભર્યું સ્થાન આપવું પડશે. જીવનમાં વ્રતાદિની આરાધનાઓ કદાચ ઓછી થાય. તે હજી ચાલી શકે પણ પાપશલ્યનું સંપૂર્ણપણે આલેચન કરવા દ્વારા ઉન્મેલન ન થાય તો તે કદાપિ ચાલી શકે તેવી બાબત નથી. જે આપણુ સમક્ષ નાનકડા પણ પાપના પરિણામ. રૂપે ત્રાટકનારાં દુર્ગતિનાં દુઃખે અત્યારે જ આવી જાય તે મને લાગે છે કે આપણે પાપનું આલેચન કર્યા વિના એક પળ પણ રહી ન શકીએ. થયું પાપ કે તરત જ તેનું પ્રાયશ્ચિત્ત. બારે ય પ્રકારના તાપમાં ઉત્કૃષ્ટ “પ્રાયશ્ચિત્ત નામને. તપ કહેવામાં આવ્યું છે. આપણે તેને સાવ ગૌણ કેમ. અણુ શકીએ? આપણે અહંકાર–માનકષાય–જ આપણને આલોચના કરતાં અટકાવે છે.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy