SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૯ ) કળામાં પૂરેપૂરા નહિ બલ્ક અધુરા હતા. એ કળાને સંપૂર્ણ વિકાસ થવાને હજી ઘણુ સમયની વાર હતી. તપનરાજનું મન કાલસિહના કથનથી જરા ચલિત, થયું હતું, પણ ચારિત્રશાળી, પ્રતાપી ભાવડશાહના કથનથી. પાછું ઠેકાણે આવી ગયું. જગતમાં પ્રાય: ચારિત્રવંત, દઢ પ્રતિજ્ઞાધારી, અને સત્યવંતના વચનથી સામા માણસ ઉપર તાત્કાલિક અસર થાય છે તેવું ભાવડશાહને માટે થયું. રાજાનું મન પ્રસન્ન થયું ભાવડશાહના કથન મુજબ ત્રણ લાખ સુવર્ણ મહોર ભાવડશાહને ઘેર પહોંચતી કરી. રાજાએ સિવાય બીજી પણ કેટલીક ભેટ-સોગાદ ભાવડશાહને. આપી રાજી . ભાવડશાહનું બહુ સન્માન કર્યું. કાલુસિહ તે આજ બની ગયે પિતે શું ધાર્યું હતું કે આ શું બની ગયું. એ તો ઠીક પણ રાજા પિતાને શિક્ષા કેમ ન કરે એવી ભીતિ લાગી. રાજાએ ભાવડશેઠને સત્કારથી વિદાય કર્યા. ભાવડશેઠ પણ અન્નદાતાને ઉપકાર માની ઘર તરફ સિધાવી ગયા ઘેરથી શુકન જોઈ આવેલા, જેથી બગડેલી બાજી સુધરી ગઈ. કાલસિંહની કુટિલતા હવામાં ઉડી ગઈ રાજા સમયે કે રાજાને બગાડનાર હલકા ખવાસના હજુરીયાઓજ હેય છે રાજાને જેવા પાશવાન હોય છે તેવીજ મનવૃત્તિ પણ સમજવી.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy