SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૮). વિશ્વાસ રાખીને ઇંદ્રની પણ પરવા કરે નહિ. પ્રાણીમાં બળનું ગુમાન વધી જાય છે ત્યારે જંગલના ગમે તેવા બળવાનને પણ તે તુચ્છ દષ્ટિથી જુએ છે. બીજાના બળને નહી જાણનારા એવા અભિમાનીઓને ઠેકર વાગે નહિ ત્યાં સુધી પોતાનાથી બીજાને ઉતરતા અને હીનકોટીએ જ જુએ છે. આવી રીતે પોતાને જ બળવાન માનતો ચમરેંદ્ર શકેંદ્રને જીતવાને મુદગળ લઈ ઉઠ્યો હતો, પણ શકના વજને પણ જેવાની કમતાકાતવાળા અભિમાનીની પાછળથી ચમત્કાર જોયા પછી બુદ્ધિ જેમ ઠેકાણે આવી ગઈ તેમ કેટલાક અસુરે પિતાને જ સર્વશક્તિવાન માની જગતમાં પિતાની બબરી કરનાર કોઈ જ નથી એમ માની રહ્યા હતા. સરદાર કપદી પિતાના હજારે યક્ષેથી (અસુરોથી) ગર્વાધ બની ગયો હતો. અનેક માણસોની એણે હત્યાઓ કરી નાખી હતી, અનેક બીજ પ્રાણુઓ પણ એની મેજ મજાહ માટે હોમાયાં હતાં, આજ વર્ષોનાં વર્ષો વીતી જવા છતાં પિતાની જાલીમ સત્તા તેડનાર કેઈ માથાને ન મળવાથી એ અસુર નાયકનો ગર્વ આસમાને પર્યત પહોંચી ગયો હતો. કારણ કે આજ સુધીમાં એની સામે થનારા કંઈકની એણે ખબર લઈ લીધી હતી. કેટલાય મનુષ્યના રૂધિરમાં પોતાના હાથ ખરડીને પોતાની વેરની આગ બજાવી હતી. માનવીના લોહીને એ તરસ્ય બનવાથી સિદ્ધગિરિ આસપાસ એણે બધું ઉજ્જડ કરી નાખ્યું હતું. માનવીઓને
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy