SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૬) હિોય તો ઠીક. આ કંટાળે હવે ક્યાં સુધી હું સહન કરૂં? સર્વને છોકરા તે હોય છે પણ આનાથી તે આડે આંક ! દેવ જે બાળક છે પણ શું કરીયે, સેનાની કટારી કાંઈ પેટમાં મરાય ! કોણ જાણે એ મારી પાસેથી કેવા પ્રકારનું ત્રણ ચુકવવા આવ્યા છે કે વેર સંબંધે એ મારે ત્યાં આવ્યો છે તે તે જ્ઞાની જાણે, એના રોજના ચાલુ રૂદનથી હવે તો હું તદ્દન કંટાળી ગઈ છું. હવે તે જરૂર એના બાપને જ આપી દઉં.” પાડેશણાની સલાહ એને ગળે ઉતરી, એના પિતા ફરતા ફરતા આવે તે આ પુત્રને જરૂર આપી દે, એ નિશ્ચય કરી સુનંદા એના પિતાના આગમનની રાહ જોવા લાગી. સિંહગિરિસૂરિ પિતાના શિષ્ય પરિવાર સાથે અહીં પધાર્યા હતા. એક દિવસે ધનગિરિ અને આર્યસમિત એ બન્ને મુનિઓએ ગુરૂને વંદન કરી અરજ કરી “પ્રભો ! જે આપ આજ્ઞા આપે તો અમારા સગાઓને વંદાવા જઈએ.” તે વખતે શુભ શકુન થવાથી ગુરૂએ જ્ઞાનને ઉપગ મુકી ધનગિરિને લાભ થવાને જાણ ધનગિરિને કહ્યું, “વત્સ! તમને આજે ભિક્ષામાં જે કાંઈ સચિત્ત અચિત્ત મલે તે લઈ આવજે. ” તહત્તિ ! આપનું વચન હું અંગીકાર કરું છું, ” ધનગિરિએ ગુરૂનું વચન મસ્તકે ચઢાવ્યું.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy