SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) છેક છેવટ ભાગની એક બાજુએથી સરીયા ધોરી રસ્તો હતો. હજારે માણસની આવજાવ એ રસ્તે થયાં કરતી હતી. અનેક વાહને, ઘેડાગાડીઓ, પાલખીઓ, વગેરે જતાં આવતાં જોવાતાં હતાં. દરવાજાના ચોકીદારને તેમજ બંગલાના માણસને એમની ખીજમતમાં સોંપ્યાં તેમજ બીજા માણસોને પણ તહેનાતમાં રહેવા હુકમ કર્યો. અહીયાં આવતાં જ એમણે સાંભળ્યું કે જીવડશાહ અહીંયાં છે, પ્રથમ તો અહીયાંથી શ્રમ ઉતારી મધુમતી તરફ જવાનો વિચાર હતો પણ હવે તો જાવડ અહીયાં હોવાથી આ યુગલને એક વાર મેળાપ થાય અને તેનું શું પરિણામ આવે છે તે જોવાયા પછી આગળ વાત ! એમ ધારી સમચંદ શેઠ સુરચંદ શેઠની વ્યવસ્થા કરી એમને માટે ખાનપાનની પણ ગોઠવણ કરી આપી તરતજ રાજગઢમાં આવ્યા, મામા ભાણેજ બન્ને હર્ષથી મળ્યા, મામાએ મહેમાનોની ટુંકમાં બધી હકીક્ત કહી સંભળાવી, સુશીલા સંબંધી પણ વાત કરી, ને ભેગી ચિત્તાના પરાકમની પણ વાત કહી દીધી. ચિત્તાને મારવા જતાં જાવડ ઉપર સોમચંદની નજર ગયેલી, જેથી એ પિતાના ભાણેજને ઓળખી ગયા હતા, પિતાના ભાણેજના આવા સાહસ અને પરાક્રમ માટે હૃદયમાં ખુબ સંતોષ પામ્યા હતા. જાવડ પણ આ નવીન વાત સાંભળી મનમાં અનેક
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy