SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૯ ) નવલકથાના સમયમાં એની જાહેાજલાલી અપૂર્વ હતી. અરબસ્તાનના પાટવી જેવા રઢીયાળા એવા મક્કા શહેરમાં જ્યારે મહમદ પેગંબર સાહેબના જન્મ પણ નહેાતા તે સમયે એ શહેરમાં અપૂર્વ જીન નિદરા હતાં, જૈન ધર્માંના વિજયને, જાહેાજલાલીને ઝુડા ફ્કાવતાં મક્કા શહેરમાં તે ઝગમગી રહ્યાં હતાં. એવા સમયમાં ત્યાંના અધિષ્ઠાયકાએ એક જૈન વ્યાપારીને સ્વપ્તામાં ધર્મ ક્રાંતિ જણાવી જેથી એ જૈન વ્યાપારી ત્યાંની જિન પ્રતિમાને મધુમતિ મદરે લાવ્યા હતા, એક જીવંત સ્વામીની પ્રતિમા પણ તે સમયે મધુમતિમાં આવી ત્યારથી મધુમતિના ભાગ્યમાં, જાહેાજલાલીમાં આર વધારે થયા. મધુમતીથી સમુદ્ર તરફના એ વિશાળ રાજમાર્ગ, આખે રસ્તે માણસાની આવજાવ થયાં કરે, સમુદ્ર મારફતે પણ વ્યાપાર ચાલતા હેાવાથી આખા દિવસ માણસાની ભરતી રહ્યા કરે, મજુરીયાએ, હેલકારીઓ, ગાડીવાળાએ ખટારાવાળાએથી એ રસ્તા ધમધમી રહેતા. લગભગ એક પ્રહર રાત્રી પર્યં ત માણસાના ગમનાગમનના વ્યવહાર રહેતા હતા ત્યાં સમુદ્ર ઉપર પણ કેટલાંક મકાના, બગલાએ, ગાદીએ માલ રાખવા માટે મનાવવામાં આવી હતી. ત્યાં પણ સરકારી માણસે હંમેશાં રહેતાં, માલની જગાતનું એક નાકુ ત્યાં પણ રાખવામાં આવ્યુ હતુ. શહેરથી ઠેઠ સમુદ્ર પર્યત
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy