SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮) ટીપાઈને દઢ થયું હતું ને એ નાજુક બહુ શત્રુઓની ખબર લેવાને જાણે ફરીફરી રહ્યા હોય, તલવાર ફેરવતાં કે લાઠી ચલાવતાં કે બાહુ યુદ્ધ કરતાં શત્રુઓ સાથે કેવી રીતે દાવપેચ ચલાવવો, દુશ્મનની નેમ કેવી રીતે ચુકવવી, એની યુતિને કેવી રીતે ધૂળમાં મેળવવી, પિતાની યુકિત અજમાવી શત્રુઓની ખબર કેવી રીતે લઈ લેવી એ સર્વે બાબતોમાં એ એકકા હતા. પૂર્વના શુભ પુણ્યના ગે એમનું શરીર બળવાન અને કસાયેલું થયું હતું. એક સાથે શત્રુઓની ખબર લેવાને સમર્થ હતું. એ શક્તિનો ઉપયોગ એમણે લોકોના રક્ષણ માટે કરવા ધાર્યો હતો. જાલીમ અને શયતાનેથી અનાથ, ગરીબ અને સ્ત્રીઓનું રક્ષણ થાય એ માટે શકિતનો વ્યય કરવા નક્કી કર્યું હતું. અત્યારથી જ તાબાના માણસો ઉપર પોતાનો અદભૂત પ્રભાવ હતો. એ આંખમાં રેવું અને તેષ બન્નેય હતાં, શત્રુઓ પણ એમનાથી ડરતા રહેતા હતા, જુલમગારે, લુચ્ચાઓ અને શયતાન લેકે એને જુદી જ દષ્ટિએ જોતા હતા. એના બળની, શક્તિની, શરસંધાનની એમણે કોટી કરી જોઈ હતી, જેથી ગજેગે એ પંજામાં ન સપડાય તેની કાળજી રાખતા હતા. મધુમતિએ સમુદ્રના કિનારે આવેલું તે સમયનું સૌરાષ્ટ્રમંડલનું કેન્દ્રસ્થાન, વિક્રમની પહેલી સદીમાં આ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy