SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) અધિકારને દુરૂપયેગ ન કરે. પ્રજાને ત્રાસનું કારણ ન થાય, વિના કારણે કેઈને હેરાન કરે, એ માટે દેખરેખની પણ વ્યવસ્થા પૂરતી હતી. દરેક માણસની ઉત્તમ વ્યવસ્થાનાં પ્રમાણપત્ર મળતાં કદર કરવામાં આવતી. વ્યવસ્થિત બંધારણ કરવા ઉપરાંત સાધમિની ભક્તિ માટે પણ ખાસ લક્ષ્ય રાખ્યું હતું, એમની ઉદારતાને પ્રભાવે જૈન કેમનાં ગૌરવ, તેજ અનેરાં ઝળક્યાં હતાં, પોતાનાથી બનતી મદદ કરવામાં એમણે પાછુ વાળી ન જોવાથી શ્રાવક કેમ લગભગ સુખીને સંતોષી હતી. સિવાય તે સમયમાં જેનકેમ સ્વાભાવિકજ સમૃદ્ધ હતી, કવચિત જ નિર્ધનતા જણાતી તેને સમયે ભાવડશાહની મદદથી એ નિર્ધનતા અદૃશ્ય થઈ હતી. સાતક્ષેત્રના મૂળ આધારભૂત શ્રાવકશ્રાવિકા ક્ષેત્ર કહેવાય, જેથી એની વૃદ્ધિમાં સેવાની વૃદ્ધિ સમાયેલી છે. જે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રનો નાશ થાય તો બીજા ક્ષેત્રની મહત્તા જળવાઈ રહેવી એ સંભવનીય નથી માટે આ ક્ષેત્રની જાહોજલાલી તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેમ સાધુઓની ભક્તિ કરવામાં મહાન લાભ સમજાય છે તેવી જ રીતે સ્વામીભાઈની ભક્તિમાં પણ ઓછો લાભ નથી સમાયા. ભાવડશાહ એ સત્ય સમજેલા હોવાથી એમણે પોતાની યથાશક્તિ જેનકમમાંથી રહી સહી દરિદ્રતાનો નાશ કરી નાખ્યું. પિતપિતાની લાયકાત પ્રમાણે શ્રાવકભાઈને કળા, હુન્નર કે વેપાર રેજગારમાં ચઢાવી એમના ભાગ્ય પ્રમાણે એમને રસ્તે
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy